SearchBrowseAboutContactDonate
Page Preview
Page 389
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭૦૦ રાજહૃદય ભાગ-૧૧ તારાઓનું પ્રતિબિંબ હોય. હવે પાણીનું જે ક્ષેત્ર નજરમાં હોય એ તો મર્યાદિત હોય પણ આકાશની અંદર જે અસંખ્ય તારા છે એ બધાનું પ્રતિબિંબ એની અંદર દેખાતું હોય. તો પાણીમાં નીચે જોવે તો ઉપરની ચીજ દેખાય કે ન દેખાય ? નજ૨ પાણી સામે છે. પાણી નીચે છે. પાણી ઉ૫૨ નથી. તારા છે ત્યાં પાણી નથી, પાણી છે ત્યાં તારા નથી. બેય ઉ૫૨ નીચે વિરુદ્ધ દિશામાં છે. હવે નજર કરે નીચે અને ઉપરની ચીજ કેમ દેખાય છે ? એની અંદર પ્રતીબિંબિત થયેલું છે. ? એમ નિર્મળજ્ઞાનમાં લોકાલોક પ્રતિબિંબિત થઈ ગયા છે. એને દેખાય છે તો પોતાની પર્યાય. એને શું દેખાય છે ? એ કાંઈ ઓલા લોકાલોક સામે નથી જોતા. દેખાય છે પોતાની પર્યાય પણ એની અંદર લોકાલોક પ્રતિબિંબિત છે એટલે લોકાલોક જણાય જાય છે. એમ કહેવામાં આવે છે. પાણીમાં તારા, એમ કહેતા હતા. પાણીમાં નીચેના કાંકા પણ દેખાય, પાણીમાં પાણી દેખાય અને રેતી હોય તો રેતીના કાંકરા દેખાય. પાણી પણ દેખાય અને તારા પણ દેખાય. એકબાજુ જોતાં બધું દેખાય કે ન દેખાય ? તો કહે હા. બસ એવી રીતે કેવળજ્ઞાનમાં બધું દેખાય છે. એમ. એટલે ભૂત ભવિષ્યનું કંઈ પણ જ્ઞાન કોઈને ન થાય એવી માન્યતા કરવી ઘટતી નથી. ભૂત ભવિષ્યનું યથાર્થ જ્ઞાન થવા યોગ્ય છે; પણ તે કોઈક વિરલા પુરુષોને,..' તે કોઈ વિ૨લા પુરુષોને. અને તે પણ વિશુદ્ધ ચારિત્ર તારતમ્યું, એટલે તે સંદેહરૂપ લાગે છે,..' કેમકે એ ચારિત્રની ખબર નથી એટલે સંદેહરૂપ લાગે છે. ‘કેમકે તેવી વિશુદ્ધ ચારિત્રતારતમ્યતા વર્તમાનમાં અભાવ જેવી વર્તે છે.’ એવો શુદ્ધ ચારિત્રવાન જીવ કોઈ જોવામાં આવતો નથી. કેવળજ્ઞાન”નો અર્થ વર્તમાનમાં શાસ્ત્રવેત્તા માત્ર શબ્દબોધથી જે કહે છે, તે યથાર્થ નથી....' શાસ્ત્રના જાણનારા પંડિતો કેવળજ્ઞાનની વાતો કરે છે એને કેવળજ્ઞાનના સ્વરૂપની ખબર નથી. એમ શ્રી ડુંગ૨ને લાગતું હોય તો તે સંભવિત છે;...' એની સાથે હું સંમત છું. ‘ડુંગર’ની આ માન્યતા સાથે હું સંમત છું કે કેવળજ્ઞાનને સમજવું એ શાસ્ત્રજ્ઞાનીઓનું કામ નથી. કેમકે શાસ્ત્રજ્ઞાનીઓ તો આંકડા મૂકશે, વિચા૨ ક૨શે અને આ તો વિચારાતીત પદાર્થ છે. ‘વળી ભૂત ભવિષ્ય જાણવું એનું નામ ‘કેવળજ્ઞાન’ છે એવી વ્યાખ્યા મુખ્યપણે શાસ્ત્રકારે પણ કહી નથી.' જુઓ ! આ જરા વિશેષ વાત કરે છે. અહીંથી એમને એમ કહેવું છે કે લોકાલોકનું જાણવું, ભૂતભવિષ્યનું જાણવું, અનંતુ જાણવું એવી જે
SR No.007188
Book TitleRaj Hriday Part 13
Original Sutra AuthorN/A
Author
PublisherVitrag Sat Sahitya Prasarak Trust
Publication Year2014
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy