SearchBrowseAboutContactDonate
Page Preview
Page 363
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪ રાજહૃદય ભાગ-૧૩ ચારિત્રથી થાય છે. સ્વરૂપાચરણ છે. મુમુક્ષુ – એ વખતે ઉપયોગમાં સ્વરૂપાચરણ જુદું છે. પૂજ્ય ભાઈશ્રી :- એટલે એ તો પ્રગટ થઈ ગયું. એ લબ્ધિ થઈ ગઈ. મન પર્યયજ્ઞાનની લબ્ધિ થઈ ગઈ. આત્માના શુદ્ધ ચારિત્રને કારણે તે પરિણામ નિમિત્ત પડીને એવી એક જ્ઞાનમાં લબ્ધિ થઈ ગઈ. પછી એ લબ્ધિનો ક્યારેક ઉપયોગ કરે છે કે બીજાના મનમાં આ વાત જાણી શકે છે. જ્યારે ઉપયોગ કરે ત્યારે એ સ્વરૂપમાં ઉપયોગ ન હોય. પરિણતિ હોય. છઠ્ઠા ગુણસ્થાનની પરિણતિ હોય પણ ઉપયોગ ન હોય. પણ જે થયું છે એ ચારિત્રના-શુદ્ધ ચારિત્રના નિમિત્તે ઉઘાડ થયો છે. બીજાને ન થાય. મુનિદશા સિવાય કોઈને ન થાય. એમ કહેવું છે. “તે પરથી તે જ્ઞાન ઉપમાવાચક ગણવા યોગ્ય નથી.” અત્યારે કોઈને નથી દેખાતું માટે આ બધી વાતો શાસ્ત્રોમાં કોઈ ઉપમાથી કરી છે કે કાંઈ ચડાવીને કરી છે, મીઠું-મરચું ભભરાવીને કરી છે એવું કાંઈ માનવા જેવું નથી. એવું ન વિચારવું. એ શાન મનુષ્ય જીવોને.” જુઓ ! એ જ વાત કરી છે. “એ જ્ઞાન મનુષ્ય જીવોને ચારિત્રપયયની વિશુદ્ધ તારતમ્યતાથી ઊપજે છે. જોયું ? “એ શાન મનુષ્ય જીવોને...” મન:પર્યયજ્ઞાન મનુષ્ય સિવાય નથી હોતું. બીજાને નથી હોતું. કારણ કે છઠું ગુણસ્થાન મનુષ્ય સિવાય આવે નહિ. બાકીની ત્રણ ગતિમાં ચોથું અને પાંચમું ગુણસ્થાન છે. એક તિર્યંચમાં પાંચમું છે. દેવ-નારકીને તો ચોથાથી આગળ છે નહિ. મુમુક્ષુ – ચારિત્ર પર્યાય એટલે સ્વરૂપસ્થિરતા લેવી? શબ્દફેર છે. પૂજ્ય ભાઈશ્રી :- હા, સ્વરૂપસ્થિરતા. હા સ્વરૂપસ્થિરતા. સ્વરૂપસ્થિરતાના નિમિત્તે પ્રગટેલી એ લબ્ધિ છે. વર્તમાનકાળમાં તે વિશદ્ધ તારતમ્યતા પ્રાપ્ત થવી દુર્લભ છે, કેમકે કાળનું પ્રત્યક્ષ સ્વરૂપ ચારિત્રમોહનીય આદિ પ્રકૃતિના વિશેષ બળસહિત વર્તતું જોવામાં આવે છે. એટલે કે જ્ઞાની હોય તોપણ એટલું વિશુદ્ધ ચારિત્ર અત્યારે હોય એવું જોવામાં આવતું નથી. આ કાળમાં ચારિત્રમોહની એટલી બધી વિશુદ્ધિ થાય એવું તો કાંઈ દેખાતું નથી. માટે આ કાળમાં એવા જ્ઞાનીઓ જોવામાં આવતી નથી. સામાન્ય આત્મચારિત્ર પણ કોઈક જીવને વિષે વર્તવા યોગ્ય છેએટલું બધું ઊંચી કોટીનું શુદ્ધ ચારિત્ર નહિ પણ સામાન્ય આત્મચારિત્ર છે એ પણ કોઈક જીવને જ વિષે વર્તવા યોગ્ય છે. તેવા કાળમાં તે જ્ઞાનની લબ્ધિ, વ્યવચ્છેદ જેવી હોય એમાં કંઈ આશ્ચર્ય નથીએટલે મનપર્યયજ્ઞાનની લબ્ધિ અત્યારે વ્યવચ્છેદ
SR No.007188
Book TitleRaj Hriday Part 13
Original Sutra AuthorN/A
Author
PublisherVitrag Sat Sahitya Prasarak Trust
Publication Year2014
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy