SearchBrowseAboutContactDonate
Page Preview
Page 351
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૨ ચજહૃદય ભાગ-૧૩ સમજાયો છે તેને અજ્ઞાની અને જ્ઞાનીનો ભેદ પણ સહેજે સમજાવા યોગ્ય છે. જેને ભાવ ભાસ્યો છે એને દ્રવ્ય ભાસે છે કે આ દ્રવ્ય જ્ઞાનીનું છે, આ દ્રવ્ય અજ્ઞાનીનું છે. અહીંયાં દ્રવ્ય એટલે આત્મા. અજ્ઞાન પ્રત્યેનો જેનો મોહ વિરામ પામ્યો છે, એવા જ્ઞાનીપુરુષને શુષ્કજ્ઞાનીનાં વચન ભાંતિ કેમ કરી શકે ? જ્ઞાનીને અજ્ઞાનનો મોહ નથી. ભલે ગમે તેવો ઉઘાડવાળો જીવ હોય. અજ્ઞાનનો જ્ઞાનીને મોહ નથી. એનો અજ્ઞાન પ્રત્યેનો મોહ વિરામ પામી ગયો છે. ગમે તે પ્રકારનું અજ્ઞાન તે અજ્ઞાન છે અથવા તે વિપરીત જ્ઞાન છે. આત્માને એ હિત સાધતું નથી. એવો “અજ્ઞાન પ્રત્યેનો જેનો મોહ વિરામ પામ્યો છે....” મટી ગયો છે, અટકી ગયા છે. એવા જ્ઞાનીપુરુષને શુષ્કજ્ઞાનીનાં વચન ભ્રાંતિ કેમ કરી શકે ? એને તો શુષ્કજ્ઞાની કે જે અજ્ઞાનના મોહમાં પડેલા છે. એ પોતે મોહમાં પડેલા છે. એને એ ભ્રાંતિ કેમ કરી શકે ? બાકી સામાન્ય જીવોને અથવા મંદદશા અને મધ્યમદશાના મુમુક્ષુને શુષ્કશાનીનાં વચનો સાશ્યપણે જોવામાં આવ્યાથી બને જ્ઞાનીનાં વચનો છે એમ ભાંતિ થવાનો સંભવ છે. અહીંયાં મધ્યમ દશાવાળા લીધા છે. પહેલામાં મંદદશા લીધી હતી. પછી અહીંયાં મધ્યમ દશા પણ લઈ લીધી. બાકી સામાન્ય જીવોને અથવા મંદદશા અને મધ્યમદશાના મુમુક્ષુને શુષ્કશાનીનાં વચનો સાદેશ્યપણે...” એટલે સરખાપણે જોવામાં આવવાથી બને જ્ઞાનીનાં વચનો છે એમ એને લાગે છે અને એવી ભ્રાંતિ થવાની ત્યાં સંભાવના રહેલી છે. કેમકે એને ખબર નથી કે આત્માર્થ શું છે ? અને આત્માર્થના ઉપદેશમાં આત્માર્થનો રણકાર શું છે, એની એને ખબર નથી. ઉત્કૃષ્ટ મુમુક્ષુને ઘણું કરીને તેવી ભ્રાંતિનો સંભવ નથી....... ત્યાં પણ પ્રાય શબ્દ વાપર્યો હતો. અહીંયાં ઘણું કરીને લીધો છે. કેમકે આખરમાં હજી જ્ઞાન નથી થયું, આત્મભાન નથી થયું તે નથી થયું. “ઉત્કૃષ્ટ મુમુક્ષુને ઘણું કરીને તેવી ભ્રાંતિનો સંભવ નથી, કેમકે જ્ઞાનીનાં વચનોની પરીક્ષાનું બળ તેને વિશેષપણે સ્થિર થયું છે? જ્ઞાનીના વચનો કેવો હોય ? શુષ્કજ્ઞાનીના વચનો કેવો હોય ? એની પરીક્ષા કરવાનું બળ છે, એની પાસે શક્તિ છે અથવા યોગ્યતા છે. એ પ્રકારની જ્ઞાનની ક્ષમતા રહેલી છે. એને પરીક્ષાબળ કહેવામાં આવે છે. એ પ્રકારની પરીક્ષા કરવાની ક્ષમતા જેના જ્ઞાનમાં છે અને પરીક્ષાબળ કહે છે. અને તે વિશેષપણે સ્થિર થયું છે. એ બરાબર ચોકસાઈ કરી લે છે કે આ જ્ઞાની છે કે અજ્ઞાની છે. એના અનુભવને એ
SR No.007188
Book TitleRaj Hriday Part 13
Original Sutra AuthorN/A
Author
PublisherVitrag Sat Sahitya Prasarak Trust
Publication Year2014
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy