SearchBrowseAboutContactDonate
Page Preview
Page 343
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૪ રાજહૃદય ભાગ-૧૩ મુમુક્ષુ :- અશુદ્ધ નિમિત્ત, શુદ્ધ ઉપાદાન. પૂજ્ય ભાઈશ્રી :– અશુદ્ધ નિમિત્ત શુદ્ધ ઉપાદાનમાં એવું છે કે કોઈ સંસ્કારી જીવ... શુદ્ધ ઉપાદાનમાં કોને લીધો છે ? સાંભળનાર કોઈ સંસ્કારી જીવને લીધો છે. ગમે તેને નથી લીધો. કેમકે શુદ્ધ ઉપાદાન એવું એનું વિશેષણ છે. એટલે જેની ઉપાદાનમાં શુદ્ધતા છે એ કાં તો સંસ્કારી છે અને કાં જ્ઞાની છે. બેમાંથી એક છે. અથવા ઉત્કૃષ્ટ દર્શાવાન મુમુક્ષુ છે. લ્યોને ! શુદ્ધ ઉપાદાનમાં આ જીવો આવે. એ અશુદ્ધ નિમિત્ત એવા જે ઉપદેશક છે એની જ્ઞાની જેવી વાણી જોઈને પણ સમજી લે છે કે આ વાત એવી કરે છે પણ એને ખબર નથી. એ શું સમજે છે ? આ વાત સાચી કરે છે એમ ન કહે. વાત સાચા જેવી કરે છે પણ સાચું શું એને ખબર નથી. એવું સમજે એને શુદ્ધ ઉપાદાન કહેવાય અને જે અશુદ્ધ નિમિત્તને સમજી લે છે કે આ નિમિત્તમાં હજી અશુદ્ધતા છે. એને ખબર નથી. એને અશુદ્ધ નિમિત્ત અને શુદ્ધ ઉપાદાન કહેવામાં આવે છે. એ પ્રકારે નિમિત્ત-ઉપાદાનનો એક ભંગ છે. ન ‘કેમકે શુષ્કશાનીની વાણીમાં આશયે શાનીની વાણીની તુલના હોતી નથી.’ એટલે એના કથનની અંદર આત્માર્થ કેન્દ્રબિંદુમાં નથી. શુષ્કજ્ઞાનીની વાણીમાં કેટલીક વાત એ સમજ્યો છે, શીખ્યો છે, એ પ્રમાણે એ કહે છે. પણ એને એનો ભાવ ભાસ્યો નથી. હવે જ્ઞાનીની વાણીની વિશેષતાઓ કહે છે કે, જ્ઞાનીની વાણી પૂર્વપર અવિરોધ,...' હોય છે. વિરોધી ધર્મોને બતાવનારી એવી પણ જ્ઞાનીની વાણી પૂર્વાપર અવિરોધ હોય છે. ઉત્પાદ-વ્યય અને ધ્રુવ બંને પરસ્પર વિરુદ્ધ સ્વભાવી છે. ઉત્પાદથી વ્યય વિરુદ્ધ સ્વભાવી છે, વ્યયથી ઉત્પાદ વિરુદ્ધ સ્વભાવી છે. બંને ચલનાત્મક ભાવ છે. ચલનવાળા ભાવ છે. જ્યારે ધ્રુવ છે એ અચળભાવ છે. એ રીતે પણ ચળપણું અને અચળપણું એવા પણ વિરુદ્ધ ધર્મસ્વભાવવાળા પદાર્થને એવા અંગો છે, એવા ધર્મો છે, એવા એના ભાવ છે, એવી એની સ્થિતિ છે. વસ્તુસ્થિતિ એવી છે. તોપણ યથાસ્થિત પદાર્થદર્શન હોવાને લીધે. એ વાત એમણે છેલ્લી લીટીમાં લીધી કે કેમ એને શુષ્કજ્ઞાનીની વાણીને પૂર્વાપર વિરોધપણું આવે છે ? કે એને યથાસ્થિત પદાર્થદર્શન નથી. એના જ્ઞાનમાં સામે પદાર્થ નથી. જ્ઞાનમાં સામે પદાર્થ નહિ હોવાને લીધે એ ઠામ ઠામ એટલે અનેક ઠેકાણે પોતાની વાત કરવામાં પદાર્થને વિષે કલ્પના કરીને વાત કરે છે એટલે એ કલ્પનાયુક્ત વાણી હોય છે, એ કલ્પિતવાણી હોય છે અને એ કલ્પના વાસ્તવિકતાથી વિરુદ્ધ હોવાને
SR No.007188
Book TitleRaj Hriday Part 13
Original Sutra AuthorN/A
Author
PublisherVitrag Sat Sahitya Prasarak Trust
Publication Year2014
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy