SearchBrowseAboutContactDonate
Page Preview
Page 322
Loading...
Download File
Download File
Page Text
________________ પત્રાંક-૬ ૭૯ ૩૦૩ મટ્યો નથી. એટલા માટે જ્ઞાનીઓએ એવો ક્રમ સૂચવ્યો છે, અનુભવીઓએ એવો ક્રમ સૂચવ્યો છે કે પ્રથમ દેહાધ્યાસ મટવો જોઈએ અને જો દેહાધ્યાસ મટે તો અન્ય પદાર્થોને વિષે પણ અહંપણું અને મમત્વપણું આપોઆપ જ છૂટે. એ નાસ્તિથી વાત લીધી. અસ્તિથી લઈએ તો ઉપયોગ સ્વભાવમાં પરિણમે છે,...' તથા ઉપયોગ સ્વભાવમાં પરિણમે છે, અર્થાત્ જ્ઞાન સ્વરૂપપણું ભજે છે, તે જ્ઞાનને નિરાવરણજ્ઞાન’ કહેવા યોગ્ય છે. એક તો જે જ્ઞાનમાં મિથ્યા અનુભવ છૂટ્યો (એ) નાસ્તિથી, અસ્તિથી ઉપયોગ સ્વભાવમાં પરિણમે છે. જે જ્ઞાનનો વેપાર છે એ પોતાના આત્મસ્વરૂપમાં અને સ્વભાવમાં તન્મયપણે, સ્વસંવેદન ભાવે પરિણમે છે અને જ્ઞાન સ્વરૂપપણું ભજે છે. જ્ઞાનમાં પોતાનું જે સ્વરૂપ છે એવા જ સ્વરૂપણે અનુભવ વર્તે છે, અનુભવ થાય છે. તે જ્ઞાનને નિરાવરણજ્ઞાન’ કહેવા યોગ્ય છે.’ તે જ્ઞાન તે વખતે પણ નિર્મળ હોવાથી નિરાવરણ છે અને તે જ્ઞાન કેવળજ્ઞાનનું કારણ હોવાથી પણ એને નિરાવરણ જ્ઞાન કહેવામાં આવે છે. જે કેવળજ્ઞાન સર્વથા નિરાવરણ છે એનું કારણ આવું સ્વભાવમાં ઉપયોગનું પરિણમવું એ એનું મૂળ કારણ છે. સ્વભાવ સર્વજ્ઞસ્વરૂપે છે. સર્વજ્ઞસ્વભાવી આત્મા છે. અને સર્વજ્ઞસ્વભાવને સ્પર્શીને જેને સ્વરૂપજ્ઞાન થયું, સર્વજ્ઞસ્વભાવમાં તન્મય થઈને, આશ્રય કરીને, સર્વજ્ઞસ્વભાવનું અવલંબન લઈને જે જ્ઞાન ઉત્પન્ન થયું તે જ્ઞાન સર્વજ્ઞશક્તિને પ્રગટ કર્યા વિના રહેશે નહિ. એ કેવળજ્ઞાનને પ્રગટ કરશે. આ વિષય ‘અનુભવપ્રકાશ’માં ‘દીપચંદજી’એ લીધો છે અને ‘ગુરુદેવશ્રી’ના પ્રવચનો એ વિષય ઉપર બહુ સારા આવ્યા છે. કેટલાક બોલ ૫૨માગમસા૨’માં ખેંચેલા છે. જે જ્ઞાન સર્વજ્ઞશક્તિને અવલંબીને પ્રગટ્યું તે જ્ઞાન સર્વજ્ઞપણું ઉત્પન્ન કર્યા વગર રહેશે નહિ. પરમાગમસાર’માં એ વિષય છે. પરમાગમસારમાં ૬૮૧ નંબરનું વચનામૃત છે. નિર્વિકલ્પ કહો કે, આત્માનો અનુભવ કહો....' આ નિરાવરણજ્ઞાન. જ્ઞાન ઉપયોગમાં પરિણમે એટલે શું થાય ? કે “નિર્વિકલ્પ કહો કે, આત્માનો અનુભવ કહો, બન્ને એક જ છે. જીવની શક્તિ તો ત્રણ કાળ ત્રણ લોકને જાણવાની છે. તેમાં જ્ઞાન જ્ઞાનને વેઢે તેટલો જ્ઞાનનો વિકાસ થયો....' જુઓ ! અવલંબન ત્રિકાળીનું છે. વેદન જ્ઞાન જ્ઞાનને વેદે એ છે. તેમાં જ્ઞાન જ્ઞાનને વેઢે તેટલો જ્ઞાનનો વિકાસ થયો તે અંશ...' એટલો જ અંશ. શાન સ્વરૂપને પોતાને (વેદે), પોતાના વેદનમાં આવી જાય. સ્વને પોતાને જ પોતે વેદનસ્વભાવી હોવાથી
SR No.007188
Book TitleRaj Hriday Part 13
Original Sutra AuthorN/A
Author
PublisherVitrag Sat Sahitya Prasarak Trust
Publication Year2014
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy