SearchBrowseAboutContactDonate
Page Preview
Page 303
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૪ રાજહૃદય ભાગ-૧૩ અંદર કોઈ અપૂર્વતા ન પ્રગટે ત્યાં સુધી એ જ્ઞાન જ્ઞાન તરીકે શું કામમાં આવ્યું ? એમ એવી રીતે વાતને લેવી જોઈએ. જાણું છું અને સમજું છું એવી રીતે નહિ લેવી જોઈએ. એમ જીવને સમજાવીને, જે પ્રકારે” એટલે યથાર્થ પ્રકારે. જે પ્રકારનો (અર્થ) ગમે તે પ્રકારે નહિ. યથાર્થ પ્રકારે “જ્ઞાન, દર્શન, ચારિત્રને વિષે...” આત્મા પોતાના સ્વરૂપજ્ઞાન, સ્વરૂપદર્શન અને સ્વરૂપચારિત્રને વિષે “સતત જાગ્રત થાય તે જ કરવામાં વૃત્તિ જોડવી...” સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રના માર્ગમાં આવવા માટે એમાં જ વૃત્તિને જાગ્રત કરવી, એને જોડવી. “અને ચત્રિદિવસ તે જ ચિંતામાં પ્રવર્તવું.... અને એની ચિંતા રહેવી), માર્ગમાં ન અવાય એની ચિંતા કેટલી રહેવી જોઈએ ? રાત-દિવસ એની ચિંતા થવી જોઈએ. ચિંતા એક આકુળતા જરૂર છે પણ આ ચિંતા તો થવા જેવી છે. આ ચિંતા ન થાય તો જીવને ભવિષ્ય ભયંકર છે એમ વિચારવા જેવું છે કે, અરે ! તને તારા આત્માના હિતની ચિંતા ન થઈ? તીવ્ર પાત્રતામાં તો એ ચિંતા રાત્રિ-દિવસ થાય છે એમ કહે છે. રાત્રે ઊંઘ ન આવે. ચિંતા એવી થાય કે રાત્રે ઊંઘ ન આવે. આયુષ્ય ક્યારે પૂરું થાશે એનો ભરોસો નથી. અને એમાં પણ જીવનના ઉતરાર્ધમાં પ્રવેશેલાને તો અર્ધ પૂરું થયા પછી એને ઉતરાર્ધ કહેવાય છે. અને અત્યારે ૭૫-૮૦નું અડધું કરો એટલે બાકીની ઉપરની ઉંમરમાં બધા ઉતરાર્ધમાં આવી ગયા. ૪૦ અને એથી ઉપરના બધા ઉતરાર્ધમાં આવી જાય છે. જોકે નીચેવાળાનો પણ ભરોસો તો નથી. પણ એને હજી ઉપર Ceiling નથી. માથું ભટકાય એવું નથી. આને તો ઉપર Ceiling આવી ગયું. એનું તો બાંધણું જ છે. આયુષ્યનું ઉપર તો બાંધણું છે. એના ઉપર તો આયુષ્ય જવાનું છે જ નહિ. અને જે ઘણું મોટાભાગનું ભોગવી ચૂકયા એને તો રાત્રિ-દિવસ ચિંતા થવી જોઈએ. જેટલી ચિંતા રાત્રે ન થાય એટલી દિવસે થાય અને દિવસે ન થાય એટલી રાત્રે થાય. એવી પરિસ્થિતિમાં આવવું જોઈએ એમ કહે છે. “ચત્રિદિવસ તે જ ચિંતામાં પ્રવર્તવું એ જ વિચારવાન...” જે જીવનમાં પરિણામો થઈ ગયા છે એ જોતાં તો આ કાળમાં તો ભાગ્યે જ કોઈ જીવ મનુષ્યપણું ફરીને પામે એવી પરિસ્થિતિમાં હોય છે. એટલે એને તે જ ચિંતામાં પ્રવર્તવું એ જ વિચારવાન જીવનું કર્તવ્ય છે; અને તેને માટે સત્સંગ, સન્શાસ્ત્ર અને સરળતાદિ નિગુણો ઉપકારભૂત છે.” નિમિત્ત અને ઉપાદાન બેયની વાત લીધી. નિમિત્તપણે એને ઉપકારભૂત સત્સંગ છે, સત્સંગ ન મળે તો સત્યાસ્ત્ર છે અને
SR No.007188
Book TitleRaj Hriday Part 13
Original Sutra AuthorN/A
Author
PublisherVitrag Sat Sahitya Prasarak Trust
Publication Year2014
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy