SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ પત્રક-૬૪૦ કુંથુનાથ આદિ હોય છે. જ્યાં એમનો કાળ પાકે છે અને લોકાંતિક દેવ આવે છે. પ્રભુ ! આપનો તો વૈરાગ્યનો સમય પાકી ગયો છે. એટલે દીક્ષાકલ્યાણકનો જ્યાં અવસર આવે છે ત્યાં Automatic કાંઈને કાંઈ એવું નિમિત્ત બને છે, કાં લોકાંતિક દેવ આવે છે. સામાન્ય રીતે આ વાત છે કે પરભારી તેવી અસંગતા....” એટલે મોક્ષપણું સિદ્ધ થતું નથી. પ્રાપ્ત થતું નથી. અને એ જ માટે જ્ઞાની પુરુષોએ...” “સત્સંગની નિત્ય ઉપાસના કરવી એમ જે કહ્યું છે, તે અત્યંત સત્ય છે. તે પોતાના અનુભવથી કહે છે કે તે અત્યંત સત્ય છે. કોને કહ્યું? મુમુક્ષુને કહ્યું. મુમુક્ષુની વ્યાખ્યા અહીંયાં બીજી રીતે કરી. “સર્વ દુખ ક્ષય કરવાની ઇચ્છા છે જેને એવા મુમુક્ષુએ સત્સંગની નિત્ય ઉપાસના કરવી....” શું કહ્યું? સર્વ દુઃખ ક્ષય કરવાની ઇચ્છા છે જેને જેને દુઃખથી છૂટવું હોય એની વાત છે. વર્તમાનમાં સુખી નથી એવું જેને ભાન છે અને સર્વ દુઃખથી મુક્ત થવું છે. જો અત્યારે આનો ઉપાય નહિ કરવામાં આવે, નહિ સાધવામાં આવે તો ભવિષ્યની અંદર અનેક આપત્તિ, અનેક દુઃખ આવી પડવાની પૂરેપૂરી સંભાવના છે. શું કહે છે? ફરીથી, પરભારી તેવી અસંગતા. એટલે મોક્ષપણું “સિદ્ધ થવી ઘણું કરીને અસંભવિત છે, અને એ જ માટે જ્ઞાની પુરુષોએ, સર્વ દુઃખ ક્ષય કરવાની ઇચ્છા છે જેને એવા મુમુક્ષુએ...” મુમુક્ષ માટે આટલું વિશેષણ વાપર્યું છે. મુમુક્ષુનો અર્થ જ એ કહ્યો છે કે જેને સંસારના સર્વ દુઃખોથી મુક્ત થઈ જવું છે. સામાન્ય રીતે એવી સ્થિતિમાં નથી એ કેવી સ્થિતિમાં હોય છે ? કે વર્તમાનની અમુક પ્રતિકૂળતાઓ દૂર થાય એટલો એ વિચાર કરે છે. પોતાના દેવ-ગુરુ-શાસ્ત્રના સંયોગમાં પણ એટલો જ વિચાર કરે છે કે આટલી એક પ્રતિકૂળતા દૂર થાય, એક આટલું મારું કામ થાય. એક એક કામ એને સામે રાખે છે. કાં આટલી અનુકૂળતા થાય, કાં આટલી પ્રતિકૂળતા જાય. બસ ! આટલું થાય ને તો મારે તો એટલા માટે તો કઈ ને કાંઈ ધર્મ કરવો જોઈએ. મુમુક્ષુ એ છે કે જેને આખા સંસારનો નાશ કરવો છે. આખા સંસારનો નાશ કરવો છે એટલે સંસારના સર્વ દુઃખોનો એને નાશ કરવો છે. મુમુક્ષ:- “ગુરુદેવશ્રી’ પૂર્ણતાને લક્ષે શરૂઆત.... એ જ મુમુક્ષ.. - પૂજ્ય ભાઈશ્રી :- એ જ વાત પાછી ફરી ફરીને આવે છે. ફરી ફરીને એ જ વાત આવે છે કે મુમુક્ષુ એટલે જેને મોક્ષનું ધ્યેય છે અથવા જેને સંસારના સર્વ
SR No.007188
Book TitleRaj Hriday Part 13
Original Sutra AuthorN/A
Author
PublisherVitrag Sat Sahitya Prasarak Trust
Publication Year2014
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy