SearchBrowseAboutContactDonate
Page Preview
Page 279
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૦ રાજહૃદય ભાગ-૧૩ યોગ્યતાવશ એ જાતના જ્ઞાનમાં સંસ્કાર એટલે નિર્મળતા આવે. અથવા દૃઢ મુમુક્ષુતા ઉત્પન્ન થાય. આ એક બહુ સારો મુદ્દો લીધો છે. અને સત્યમાગમથી કાંઈક ઉપદેશનું અવધા૨ણ કર્યું હોય. પોતાના આત્મામાં પરિણમાવવાનો પ્રયત્નવંત જીવ થયો હોય. અને અંતરાત્મવૃત્તિવાન થયો હોય ત્યારે તે જીવ શાનીને કે વીતરાગને ઓળખી શકે છે. જગતવાસી એટલે જગતદૃષ્ટિ જીવો છે, તેની દૃષ્ટિએ ખરેખરું જ્ઞાની કે વીતરાગતાની ઓળખાણ કચાંથી થાય ? એ બાહ્યદૃષ્ટિ જીવો છે, જગતવાસી જીવો છે. એની દૃષ્ટિ તો એવી છે કે એ દૃષ્ટિએ ખરેખરું જ્ઞાની કે વીતરાગની ઓળખાણ થઈ શકતી નથી. એટલે જ્ઞાનીની ઓળખાણ થવા માટે યોગ્યતા અને પાત્રતા સારી રીતે ઉત્પન્ન થઈ હોય તો જ જ્ઞાની ઓળખાય, બાકી કોઈ જગતના જીવો જે રીતે પરિણમે છે, જે યોગ્યતામાં છે એ દૃષ્ટિથી, જગતની દૃષ્ટિથી, બાહ્યદૃષ્ટિથી જ્ઞાનીપુરુષની કે વીતરાગની, સર્વજ્ઞદેવની ઓળખાણ થતી નથી. મુમુક્ષુ :– દૃઢ મુમુક્ષુતા... પૂજ્ય ભાઈશ્રી :– મુખ્ય વાત લીધી છે. દૃઢ મુમુક્ષુતા. જેને છૂટવું જ છે, જેને જન્મ-મરણથી મૂકાવું જ છે. છૂટનારને કોઈ બાંધનાર નથી અને સ્વયં બંધાનારને કોઈ છોડાવનાર નથી જગતમાં. ગમે તે દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ હોય. જેને પોતાને બંધાવું છે), જે સ્વયં બંધાય એને કોઈ છોડાવી ન શકે. એ પરિસ્થિતિ છે. મુમુક્ષુ :- કૃપાળુદેવ ઉપર પૂરેપૂરો ભરોસો હોવાથી.... શું કારણ છે ? પૂજ્ય ભાઈશ્રી :– એટલે એટલી યોગ્યતા ઓછી છે. એટલી વિશ્વાસમાં, પ્રતીતિમાં ખામી છે. એમના પ્રત્યે જે વિશ્વાસ ઓળખાણથી આવવો જોઈએ કે આ પુરુષની અંતરંગદશા આટલી બધી સ્પષ્ટ કરી છે એમણે. આ ૪૦૮ જોયો, ૪૧૪ જોયો. કેવા કેવા પત્રો હમણાં આપણે ચર્ચામાં આવી ગયા ! આવી જેની અંદરની આવી દશા છે તો એક દશાના સાત-આઠ પડખાં પોતે બધા ચોખ્ખા કરીને મૂકે છે. આમ પણ થાય છે અને આમ પણ થાય છે, આમ પણ થાય છે. એવી એમની અંદરની પરિસ્થિતિ છે કે કોઈના વિષે ગમે તેમ અભિપ્રાય આપી દે એ માની લેવા જેવું નથી. ‘ગુરુદેવ’ ઘણીવાર પ્રશંસા કરતા તો કાંઈ બધાની કરતા હતા એવું નથી. એમાં કોઈ વગ૨ વિચાર્યે કાંઈક પોતાનો અભિપ્રાય આપી દેતા હતા તો એને કહેવું પડતું. કે તો એમ કોને તમારા માટે ગુરુદેવ’ના શ્રીમુખેથી એવા શબ્દો લઈ
SR No.007188
Book TitleRaj Hriday Part 13
Original Sutra AuthorN/A
Author
PublisherVitrag Sat Sahitya Prasarak Trust
Publication Year2014
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy