SearchBrowseAboutContactDonate
Page Preview
Page 269
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૦ રાજહૃદય ભાગ-૧૩ અભાવ થાય છે ત્યાં સુધી સમ્યક્ પ્રકારે કષાયનો અભાવ થતો નથી. એટલે ત્યાં ક્ષય થાય છે એમ લેવું. મુમુક્ષુ :– એટલે બારમે ગુણસ્થાને રહી શકે છે. પૂજ્ય ભાઈશ્રી :– હા, થઈ શકે છે. બારમે ગુણસ્થાને દેહ હોવા છતાં પણ કષાયનો ક્ષય થાય છે, એમ કહેવું છે. અને ચતુર્થ ગુણસ્થાનથી અંશે ક્ષય થાય છે. કેમકે પહેલી ચોકડી ગઈ. આ સંજ્વલનમાં છેલ્લી ચોકડી ગઈ. આ પહેલી ચોકડી ગઈ, પછી બીજી જાય, પછી ત્રીજી જાય. એમ ચોથે, પાંચમે અને છઠે ત્રણ ગુણસ્થાને ત્રણ ચોકડીનો ક્ષય થાય છે, એમાં અભાવ થાય છે. એમ. ગતવાસી જીવને રાગદ્વેષ ગયાની ખબર પડે નહીં...' સામાન્ય રીતે જગતના જીવોને કોને રાગ-દ્વેષ ગયા છે એની ખબર પડતી નથી. વીતરાગ સુધીની ખબર નથી પડતી બીજાની તો ક્યાં ખબર પડે, એમ કહે છે. ગતવાસી જીવને રાગદ્વેષ ગયાની ખબર પડે નહીં....' જુઓ ! પણ ખુલ્લી વાત એ છે કે સંપ્રદાયબુદ્ધિ કેવું બુદ્ધિ ઉપર આવરણ મૂકે છે ! નહિતર દરેક સંપ્રદાયમાં બુદ્ધિજીવી માણસો નથી ? કોઈ સંપ્રદાયમાં Barrister, Judge, વકીલો, Doctor, Engineer એવા તીવ્ર બુદ્ધિશાળી માણસો બધાના સંપ્રદાયમાં છે. બરાબર છે ? બુદ્ધિ તો છે. હવે આ વાત ખુલી છે. ભલે (અત્યારે) વીતરાગ નથી પણ વીતરાગની પ્રતિમા કેવી હોય ? વીતરાગનું બિંબ તો મૂક્યું છે ને ? જેવા વીતરાગ છે એવું જ Exact જિનબિંબ મૂકયું છે. કોઈ તુલના નથી કરતું. આપણે તો આમ હોય અને એમનામાં આમ હોય પતી ગયું. આપણે આપણું કરીએ, એ એમનું કરે. મુમુક્ષુ :- સંપ્રદાયબુદ્ધિની આડશ આવી ગઈ. પૂજ્ય ભાઈશ્રી :– કેવી આડશ આવે છે ? આ રાગ-દ્વેષ રહિત થયા છે એ વાત ચોખ્ખી મૂકી છે. બીજાના પ્રતિમાઓમાં શ્રૃંગાર છે, બીજું છે, ત્રીજું છે, આયુધ છે. શ્રૃંગારથી પછી આગળ વધો તો કેટલાય અશસ્ત્ર-શસ્ત્રો રાખ્યા છે, એથી આગળ વધીને બીજા એમના જે પત્ની છે એને બાજુમાં સ્થાપનમાં મૂકે છે. એમ જે જે બધા પ્રકાર ચાલે છે, પ્રતિમા સ્થાપનના જે પ્રતિષ્ઠા વિધિના, એમાં અનેક પ્રકારો છે અને એમાં આ પ્રકાર છે એ બધાથી જુદો પડે એવો રાગ-દ્વેષ રહિત નિર્દોષ પ્રકાર છે તોપણ બુદ્ધિ કેટલા લોકો ચલાવે છે ? બુદ્ધિવાળા નથી એમ તો ન કહી શકાય. બુદ્ધિ છે છતાં બુદ્ધિની યોગ્યતા કયા પ્રકા૨ની છે, એના ઉ૫૨ એ બુદ્ધિનો આંક છે અથવા મૂલ્ય છે. બુદ્ધિ છે એનું મૂલ્ય નથી. બુદ્ધિમાં યોગ્યતા કેવા પ્રકારની
SR No.007188
Book TitleRaj Hriday Part 13
Original Sutra AuthorN/A
Author
PublisherVitrag Sat Sahitya Prasarak Trust
Publication Year2014
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy