SearchBrowseAboutContactDonate
Page Preview
Page 260
Loading...
Download File
Download File
Page Text
________________ પત્રાંક-૬૭૩ ૨૪૧ નિમિત્ત જાણી, શ્રી સુંદરદાસાદિના ગ્રંથનું...' વાંચન કરવાનું, નિયમિત વાંચન કરવાનું કહીએ છીએ. અને વાત પણ એમને તો વાણી ઉપરથી ખ્યાલ આવતો હતો કે આ જીવે કોઈ Line પકડી છે કે નહિ. આત્મજાગૃતિ એની સારી દેખાય છે. જાગૃતિ બે તબક્કામાં સમજવામાં આવે છે. એક તો જે સમ્યગ્દર્શનની સમીપ હોય એવા મુમુક્ષુને આત્મજાગૃતિ વિશેષે કરીને હોય છે અને એક સમ્યગ્દષ્ટિ ધર્માત્માને પણ આત્મજાગૃત દશા હોય છે. હવે ગમે તે હોય આત્મજાગૃતિ તો એમની જોવામાં આવી છે. એ સ્પષ્ટ લખેલું છે. જુઓ ! એ સંપ્રદાય સામું નથી જોતા. એ જીવ કયા સંપ્રદાયમાં અત્યારે છે એમ નથી જોતા. એણે સંપ્રદાય છોડ્યો હતો કે નહોતો છોડ્યો એ નથી જોતા. કેમ ? કે આત્મજાગૃતિ તિર્યંચને આવે છે. ધર્મ તિર્યંચ પામે છે. એને કયાં સંપ્રદાય છે ? એમ મનુષ્ય પણ કોઈ પણ સંપ્રદાયમાં હોય તોપણ સંસ્કારી જીવ હોય તો ત્યાં પણ ફરી જાય. ‘ગુરુદેવ’ સંસ્કારી હતા તો હજી સંપ્રદાય નહોતો બદલ્યો. ‘શ્રીમદૂજી’ પોતે પણ સંસ્કારી હતા, સંપ્રદાય નહોતો બદલ્યો અને જ્ઞાનપ્રાપ્તિ બંનેને થઈ છે. આત્મજાગૃતિ મુમુક્ષુતા તો આવી પણ જ્ઞાનપ્રાપ્તિ પણ બંનેને થઈ છે. આપણી પાસે તો બહુ મોટા ઉદાહરણ છે. એટલે સંપ્રદાય ઉપ૨ નજર દોડાવવા જેવી નથી કે આ ‘સુંદરદાસ’નું લખ્યું છે એ કચા સંપ્રદાયમાં હશે ? જૈન હશે કે અજૈન હશે ? કોણ હશે ? અરે..! જે હોય તે. એણે લખ્યું છે શું ? બરાબર છે કે નહિ ? સત્યની કસોટી ઉ૫૨ ચડાવીને એ સત્ય છે કે અસત્ય છે એટલો જ નિર્ણય કરવો રહે છે. એ ૬૭૨ (પત્ર પૂરો) થયો. પત્રાંક-૬૭૩ મુંબઈ, ફા. સુદ ૧૦, રવિ, ૧૯૫૨ ૐ શ્રીસદ્ગુરુપ્રસાદ શ્રી સાયલાક્ષેત્રે ક્રમે કરીને વિચરતાં પ્રતિબંધ નથી. યથાર્થશાન ઉત્પન્ન થયા પ્રથમ જે જીવોને ઉપદેશકપણું વર્તતું હોય તે જીવે જે પ્રકારે વૈરાગ્ય, ઉપશમ અને ભક્તિનો લક્ષ થાય તે પ્રકારે પ્રસંગપ્રાપ્ત જીવોને ઉપદેશ આપવો ઘટે, અને જે પ્રકારે તેને નાના પ્રકારના
SR No.007188
Book TitleRaj Hriday Part 13
Original Sutra AuthorN/A
Author
PublisherVitrag Sat Sahitya Prasarak Trust
Publication Year2014
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy