SearchBrowseAboutContactDonate
Page Preview
Page 254
Loading...
Download File
Download File
Page Text
________________ પત્રાંક-૬૭૨ સબકો સંહાર કર, નિજ પદ પહૂતો હૈ; સુંદર કહત ઐસૌ, સાધુ કોઉ શૂરવીર, ૨૩૫ વૈરિ સબ મારિકે, નિચિંત હોઈ સૂતો હૈ. –શ્રી સુંદરદાસ શૂરાતનઅંગ-૨૧-૧૧ તા. ૧૬-૪-૧૯૯૧, પત્રાંક – ૬૭૨ થી ૬૭૪ પ્રવચન નં. ૩૦૧ આત્માર્થી શ્રી સોભાગ તથા શ્રી ડુંગર પ્રત્યે, શ્રી સાયલા. વિસ્તારપૂર્વક કાગળ લખવાનું હાલમાં થતું નથી, તેથી ચિત્તમાં વૈરાગ્ય ઉપશમાદિ વિશેષ પ્રદીપ્ત રહેવામાં સત્શાસ્ત્ર એક વિશેષ આધારભૂત નિમિત્ત જાણી, શ્રી સુંદરદાસાદિ’ના ગ્રંથનું બને તો બેથી ચાર ઘડી નિયમિત વાંચવું પૂછવું થાય તેમ કરવાને લખ્યું હતું.’ આગળના પત્રમાં ‘સુંદરદાસજી’ના ગ્રંથ પ્રથમથી છેવટ સુધી અનુક્રમે એટલે ક્રમશઃ વિચા૨વાનું થાય એમ કરશો એમ લખ્યું હતું. અત્યારે પણ ફરીને લખે છે કે મારા તરફથી વિસ્તારપૂર્વક તમોને કાગળ લખવાનું થઈ શકતું નથી પણ તમારા ચિત્તમાં વૈરાગ્ય અને ઉપશમ વિશેષ પ્રદીપ્ત રહે એટલે જાગૃત રહે, ચાલુ રહે એમ રહેવામાં સાસ્ત્ર એક વિશેષ આધારભૂત નિમિત્ત જાણી....' સત્શાસ્ત્ર છે એ વૈરાગ્ય-ઉપશમને પ્રદીપ્ત રહેવામાં એક સત્સંગ પછી એક વિશેષ નિમિત્તભૂત છે એમ જાણીને ‘શ્રી ‘સુંદરદાસાદિ'ના ગ્રંથનું...' એટલે બીજા પણ કોઈ ગ્રંથ કદાચ સૂચવ્યા હશે. નિયમિત રીતે એટલે હંમેશા. બેથી ચાર ઘડી...’ કલાક, બે કલાક, ત્રણ કલાક ‘વાંચવું પૂછવું થાય...' બે વાત લીધી છે. ખાલી વાંચી જવું એમ નહિ પણ પરસ્પર ચર્ચા કરવી. તેમ કરવાને લખ્યું હતું.’ આગળના પત્રમાં એવી વાત લખી હતી. ‘શ્રી સુંદરદાસના ગ્રંથો પ્રથમથી કરીને પ્રાંત સુધી વિશેષ અનુપ્રેક્ષાથી હાલ વિચારવા માટે તમને તથા શ્રી ડુંગ૨ને વિનંતિ છે.’ પોતે એ ગ્રંથો વાંચ્યા છે અને એ
SR No.007188
Book TitleRaj Hriday Part 13
Original Sutra AuthorN/A
Author
PublisherVitrag Sat Sahitya Prasarak Trust
Publication Year2014
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy