SearchBrowseAboutContactDonate
Page Preview
Page 243
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૪ રાજહૃદય ભાગ-૧૩ છે. મતનો અભિનિવેશ તે સંપ્રદાયબુદ્ધિમાં જાય છે. લ્યો ! ઠીક ! અમારામાં તો આમ હોય ને બીજું ન હોય. અમારે તો આ પુસ્તક વંચાય અને ઓલું પુસ્તક ન વંચાય, અમારે તો આની વાત કરાય અને પેલાની વાત ન કરાય. એ મતમતાંતરનો અભિનિવેશ થઈ ગયો. એ મતમતાંતરનો અભિનિવેશ ટળે,..’ અને સત્પુરુષનાં વચન ગ્રહણ કરવાની આત્મવૃત્તિ થાય...’ વૃત્તિ થાય એટલું નથી કીધું. સત્પુરુષના વચનો ગ્રહણ કરવાની આત્મામાંથી વૃત્તિ ઉત્પન્ન થાય, આત્માના હિતની રુચિપૂર્વકની વૃત્તિ ઉત્પન્ન થાય એને આત્મવૃત્તિ કહેવામાં આવે છે. સત્પુરુષનાં વચન ગ્રહણ કરવાની આત્મવૃત્તિ થાય...' તે પ્રકારે તે બધે સત્સંગની અંદર ચર્ચા-વાર્તા લે છે. ઉપદેશ નહિ. ઉપદેશ તો એ શબ્દ એમણે વાપર્યો છે. પણ ખરેખર એને પોતાના અભિપ્રાયમાં એ વાત સ્પષ્ટ છે કે છઠ્ઠા ગુણસ્થાન (પહેલા ઉપદેશકપણાની પ્રવૃત્તિ હોય નહિ). સત્પુરુષની ભક્તિમાં નહિ આવે, સત્પુરુષના ગુણગ્રામમાં નહિ આવે, અવિરોધના બદલે વિરોધમાં પણ આવી જશે. આ બધા પ્રકાર જાણીને વર્તમાનકાળમાં તે પ્રકારની વિશેષ હાનિ થશે એમ જાણી શાનીપુરુષોએ આ કાળને દુષમકાળ કહ્યો છે,' જ્ઞાનીપુરુષોને ખ્યાલ આવ્યો છે કે વર્તમાન જીવોની યોગ્યતામાં હિનપણું ઘણું છે. એ હિણપતા જોઈને એમણે આ કાળનું નામ પણ દુષમકાળ એવું રાખ્યું છે. ‘અને તેમ પ્રત્યક્ષ દેખાય છે.’ આ વાત પ્રત્યક્ષ દેખાય છે. ..... જુઓ ! મુમુક્ષુએ સત્સંગ કેવી રીતે કરવો, ખરેખર તો એની વિધિ બતાવી દીધી છે. આત્મજ્ઞાન થયા પહેલા આત્મજ્ઞાનની પ્રાપ્તિ માટે શું કરવું ? કે સત્સંગ ક૨વો. સત્સંગ કરવો એમાં પહેલા શું કરવું ? કે આત્મજ્ઞાની સત્પુરુષ હોય એના ચરણમાં ચાલ્યા જવું. ન હોય ત્યારે શું કરવું ? ન હોય ત્યારે એના આશ્રય ભાવનામાં રહેવું. પછી શું કરવું ? પછી ભેગા થઈને આ કરતું. એ સત્પુરુષની ઓળખાણ થાય એવો વિષય લેવો, એના ગુણગ્રામ અને એના પ્રત્યે પ્રમોદ (ભાવ વર્ધમાન થાય), એનો વિરોધ ટળી જાય એવી વાત લેવી, મતમતાંતર ન થાય એવી વાત લેવી. આ બધા મુખ્ય મુખ્ય મુદ્દા લીધા છે, અને સત્પુરુષોના વચનો આત્મામાં ગ્રહણ થાય, સમજાય એમ ન લીધું. જુઓ ! સમજવું એક વાત છે, ગ્રહણ કરવું બીજી વાત છે. ધારણા ક૨વી એને ગ્રહણ કર્યું એમ નથી. ગ્રહણ કરવું એટલે ઉપાસવું. ગ્રહણ કરવું એટલે ઉપાસના કરવી. એને પરિણમાવવાનો પ્રયાસ કરવો અને એની પ્રાપ્તિ કરવી. એને ગ્રહણ કર્યું એમ કહેવામાં આવે છે. એ પ્રકારે
SR No.007188
Book TitleRaj Hriday Part 13
Original Sutra AuthorN/A
Author
PublisherVitrag Sat Sahitya Prasarak Trust
Publication Year2014
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy