SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૦ રાજહૃદય ભાગ-૧૩ છે કે જે કોઈ શ્રીમંત હોય, રાજા મહારાજા હોય, ચક્રવર્તી હોય તો એ ત્યાગી દશામાં ન રહી શકે. એને એના સંયોગો અનુસાર રહેવું પડે. મોટા રાજા હોય, રાજસભામાં આવે તો એના એ જાતના આભૂષણો પહેરીને આવે, એ જાતના કપડા ઊંચી જાતના, એ જાતના આભૂષણ એ પહેરીને આવે. અને કોઈ બીજા એવા જ્ઞાની હોય કે જે એકદમ સાદાઈથી અને ત્યાગી દશામાં કોઈ બ્રહ્મચારી હોય, બિલકુલ ગૃહસ્થ હોવા છતાં, ચોથા ગુણસ્થાને હોવા છતાં પણ એકદમ આહાર, પાણી, કપડાં, રહેણી, કરણી અને જીવનની અંદર એકદમ સાદગીથી રહે. તો બીજાને ઉપકારભૂત પેલા નહિ થઈ શકે. જે વૈભવવાળી પરિસ્થિતિમાં જેનો બાહ્ય દેખાવ છે એ બીજા મુમુક્ષુજીવોને, બીજા લોકોને માર્ગમાં આવવા માટે ઉપકારનું કારણ નહિ થઈ શકે. જ્યારે જે અનુસરતા હશે, ત્યાગને અનુસરતા હશે એવા જ્ઞાની હશે તો બીજા જીવોને ઉપકારનું કારણ થઈ શકશે. એટલો બીજાની અપેક્ષાએ ફેર પડે છે. એના આત્મજ્ઞાનની અપેક્ષાએ એવો કોઈ મોટો ફેર પડતો નથી. મુમુક્ષુ :- ‘ગુરુદેવશ્રી’... = પૂજ્ય ભાઈશ્રી :– હા. ગુરુદેવશ્રી’ અને ‘શ્રીમદ્જી’નું જુઓ. કેવો ફેર પડ્યો છે ? કે ‘શ્રીમદ્જી’ પોતે ગૃહસ્થ વ્યવહારમાં હતા તો બહુ મર્યાદિત માણસોને ઉપકારમાં નિમિત્ત થયા. ‘ગુરુદેવશ્રી’ ત્યાગી અવસ્થામાં હતા તો હજારો-લાખો માણસોને ઉ૫કા૨માં નિમિત્તભૂત થયા. એ રીતે બીજાઓને ઉપકાર થવામાં એ નિમિત્ત પડે છે. એમના ‘ઐશ્વર્યને સ્પષ્ટ વ્યક્ત કરે છે, તેથી અને લોકને ઉપકારભૂત છે તેથી, ત્યાગ અકર્તવ્યલક્ષે કર્તવ્ય છે, એમાં સંદેહ નથી.' જુઓ ! કર્તાપણાના ભાવથી ત્યાગ કર્તવ્ય નથી. મેં આ છોડ્યું, મેં આનો ત્યાગ કર્યો છે એ પ્રકારે ત્યાગ કર્તવ્ય નથી. પણ અકર્તાપણા ભાવે હું ભિન્ન હોવાથી, ખરેખર ૫૨૫દાર્થો અને મારે સર્વથા દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવથી સર્વથા ભિન્નપણું હોવાને લીધે મારે એના ત્યાગનું કર્તાપણું તો કરવાનો પ્રશ્ન જ નથી. સહેજે મારી વૃત્તિ તે તે પદાર્થોને ગ્રહણ કરવા પ્રત્યે જતી નથી. એવું સહજ મારું જે પરિણમન છે તે પદાર્થોને નહિ ગ્રહણ કરવામાં મારે વૃત્તિનું દમન કરવું પડતું નથી, મને ક્લેશ થતો નથી, મારા પરિણામ બગડતા નથી. સહજપણે તે તે પદાર્થોનો ત્યાગ કરતા જો મને મારા પરિણામની સ્થિતિ બરાબર જળવાય રહે છે તો એ પદાર્થોનો મેં ત્યાગ કર્યો છે એ વાત પણ મારા
SR No.007188
Book TitleRaj Hriday Part 13
Original Sutra AuthorN/A
Author
PublisherVitrag Sat Sahitya Prasarak Trust
Publication Year2014
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy