SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ રાજહૃદય ભાગ-૧૩ પત્રાંક-૬૫૬, મુંબઈ, માગશર સુદ ૧૦, મંગળવાર, ૧૯૫૨ શ્રી ત્રિભોવનની સાથે તમારાં પ્રથમ પત્રો મળ્યાં હતાં એટલું જણાવ્યું હતું. તે પત્રો આદિથી વર્તતી દશા જાણીને તે દશાની વિશેષતાર્થે સંક્ષેપમાં કહ્યું હતું. જે જે પ્રકારે પદ્રવ્યતવસ્તુ)નાં કાર્યનું સંક્ષેપણું થાય, નિજ દોષ જોવાનો દઢ લક્ષ રહે, અને સત્સમાગમ, સાસ્ત્રને વિષે વર્ધમાન પરિણતિએ પરમ ભક્તિ વત્ય કરે તે પ્રકારની આત્મતા કર્યા જતાં, તથા જ્ઞાનીનાં વચનોનો વિચાર કરવાથી દશા વિશેષતા પામતાં યથાર્થ સમાધિને યોગ્ય થાય, એવો લક્ષ રાખશો, એમ કહ્યું હતું. એ જ વિનંતિ. તા. ૨૩-૧૯૯૧, પત્રાંક – ૬૫૬, ૬૫૭ પ્રવચન . ૨૯૫ પત્ર ૬૫૬, પાનું-૪૮૯. “અંબાલાલભાઈ’ ઉપરનો પત્ર છે. શ્રી ત્રિભોવનની સાથે તમારાં પ્રથમ પત્રો મળ્યાં હતાં એટલું જણાવ્યું હતું. તે પત્રો આદિથી વર્તતી દશા જાણીને તે દશાની વિશેષાર્થે સંક્ષેપમાં કહ્યું હતું. કે તે પત્રો આદિથી વર્તતી દશા જાણીને. જે પત્રો એમણે લખ્યા છે એમાં પોતાની ચાલતી દશાનું નિવેદન કર્યું છે. અને એ જ દશામાં વિશેષ લાભ થાય એવા પ્રયોજનથી સંક્ષેપમાં લખ્યું હતું. એમ કરીને નીચે કદાચ એ જ વાતને દોહરાવે છે. સંક્ષેપમાં કહ્યું હતું.' લખ્યું હતું નહિ પણ કહ્યું હતું. એટલે ‘ત્રિભોવનભાઈ મળ્યા હશે તો એમને વાત કરી હશે. એ પત્રમાં લખે છે. વિષય છે મુમુક્ષુની ભૂમિકા યથાર્થરૂપે કેવી હોય એ વિષય ઉપર લખે છે. જે જે પ્રકારે પરદ્રવ્ય(વસ્તુ)ના કાર્યનું સંક્ષેપપણું થાય, નિજ દોષ જોવાનો દઢ લક્ષ રહે, અને સત્સમાગમ, સન્શાસ્ત્રને વિષે વર્ધમાન પરિણતિએ પરમ ભક્તિ વત્ય કરે તે
SR No.007188
Book TitleRaj Hriday Part 13
Original Sutra AuthorN/A
Author
PublisherVitrag Sat Sahitya Prasarak Trust
Publication Year2014
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy