SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ પત્રાંક-૬૫૨ ૧૦૫ કરવા માટે પોતાનું ક્ષયોપશમબળ, જ્ઞાનનો ક્ષયોપશમ અને વીર્યનો ક્ષયોપશમ-એ બે ક્ષોપશમ મુમુક્ષુદશામાં કામ કરે છે. એ ઓછું જાણીને અહંમમતાદિનો પરાભવ થવાને...' માટે. ૫૨૫દાર્થમાં અહંપણું થાય છે, મમત્વ થાય છે એની પાસે પોતાનો પરાભવ થાય છે એના બદલે તે પરિણામનો પરાભવ થવો જોઈએ, પોતાનો વિજય થવો જોઈએ. એવું થવાને માટે નિત્ય પોતાનું ન્યૂનપણું દેખવું;...' પોતે હારી જાય છે એની ખામીને જોવી. હું કેમ હારી જાઉં છું ? મારો કેમ પરાભવ થાય છે ? કેમ મને ૫૨૫દાર્થમાં મમતા ઉપજે છે ? મારાપણું કેમ ભાસે છે ? લાગે છે ? એવી પોતાની ખામીને જોવી. પોતાનું ન્યૂનપણું દેખવું,...’ વિશેષ સંગ પ્રસંગ સંક્ષેપવા યોગ્ય છે.’ તેમ કોઈ પણ બીજા જીવોનો પ્રસંગ રહેતો હોય તો એનો સંક્ષેપ કરવો, ઓછો કરી નાખવો. પિરચય બહુ વધારવો નહિ. ‘લલ્લુજી” સાધુદશામાં સ્થાનકવાસીના સંપ્રદાયમાં ત્યાગી દશામાં રહેતા હતા. ત્યાગી દશામાં આજે પરિસ્થિતિ એ છે કે ઘણો પિરચય વધી જાય છે. સમાજ સાથેનો પરિચય ઘણો વધી જાય છે. એ પરિચય સંક્ષેપ કરવા યોગ્ય છે. વિશેષ સંગ, પ્રસંગ છે એ સંક્ષેપવો જોઈએ, ઓછો કરવો જોઈએ. આત્મહિતમાં સમય લાગે અને એ સિવાયનો સમય બરબાદ ન થાય, બગડે નહિ એની કાળજી લેવા જેવી છે. સત્સંગને ઘટાડવો એમ નથી કહેતા પણ બીજો સત્સંગ સિવાયનો કોઈ સંગ રહેતો હોય તો તે સંગ-પ્રસંગ ઘટાડવો જોઈએ, એમ કહેવું છે. મુમુક્ષુ : પૂજ્ય ભાઈશ્રી :- એ લોકોએ જે મુમુક્ષુનું પ્રક૨ણ લખ્યું છે એમાં વૈરાગ્ય ઉપશમ સમ્યગ્દષ્ટિને હોય એવી પદ્ધતિથી લખ્યું છે. વૈરાગ્ય લાવવો તો જ્ઞાતા-દૃષ્ટા રહીને સાક્ષી ભાવે વૈરાગી થવું. એવી બધી વાતો લખી છે. મળતી-ભળતી. આમ તો આમાંથી લીધી છે ને ? એ લોકોએ વાતો તો બધી જિનવાણીમાંથી લીધી છે. એટલે ભળતી વાતો છે. ખાસ કરીને જે વૈરાગ્ય પ્રકરણ છે એ ‘રામચંદ્રજી’ના ૧૬-૧૭ વર્ષની ઉંમ૨માં જે એમને વૈરાગ્ય ઉત્પન્ન થયો હતો એ વૈરાગ્યને, એ વૈરાગ્ય મૂળ શાસ્ત્રમાંથી લીધો હોય તો રામચંદ્રજી' તો ક્ષાયિકસમ્યગ્દષ્ટિ હતા. વૈરાગ્ય આવવો એ સ્વભાવિક છે. ઘણો વૈરાગ્ય હતો. ‘રામચંદ્રજી’ને ૧૬-૧૭ વર્ષની ઉંમરે ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કર્યાં પહેલા આ બાજુ એમના પિતાશ્રી દશરથરાજા’ એમને રાજગાદીએ બેસાડવાનો અને કોઈ સારે ઠેકાણે એમના લગ્ન કરવાનો વિચાર કરે
SR No.007188
Book TitleRaj Hriday Part 13
Original Sutra AuthorN/A
Author
PublisherVitrag Sat Sahitya Prasarak Trust
Publication Year2014
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy