SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૨ રાજહૃદય ભાગ-૧૩ સમ્યગ્દષ્ટિ, એકાવતારી, ક્ષાયિકસમ્યગ્દષ્ટિ એકાવનારી છે. તોપણ જ્યારે ઉપદેશ સાંભળવા બેસે ત્યારે કેવી રીતે બેસે છે ? “ગુરુદેવ’ તો પાછા પોતે Action કરે. એટલો નગ્ન થઈને બેસે છે. ત્યારે એને જ્ઞાનપ્રાપ્તિ વિશેષ વિશેષ . જ્ઞાનનું પરિણમન થાય છે. ગ્રહણ કરવું છે ને ? ઉપદેશ શું... અને પાત્રતાનો પણ એ આંક છે કે જેટલી એને ગરજ છે એટલી પાત્રતા છે. જેટલી ગરજ નથી એટલી અપાત્રતા છે. પાત્રતાના જે લક્ષણો છે એમાં પોતાને આત્મહિત કરવાની કેટલી ગરજ છે? એટલી પાત્રતા અને પ્રાપ્ત થઈ છે. બાકી અપાત્રતા છે. એટલે એ વાત તો પોતે પોતાના અનુભવથી સ્પષ્ટ કરી છે. કોઈ જીવ પોતાની શક્તિએ....” એમ માને કે બુદ્ધિ મારામાં ઘણી છે, શક્તિ મારામાં ઘણી છે. પુસ્તકો વાંચી વાંચીને, શાસ્ત્રો વાંચી વાંચીને હું મોક્ષમાર્ગને પકડી લઈશ. એ માર્ગ શોધવો અશક્ય છે. એવી રીતે શાસ્ત્રોમાંથી માર્ગ મળતો. નથી, એમ કહે છે. તે માર્ગ શોધવો અશક્ય છે; એમ વારંવાર દેખાય છે....” એવું અમને વારંવાર લાગે છે. દેખાય છે એટલે ? વારંવાર એવું અમને લાગે છે. એટલું જ નહીં,” હવે એથી આગળ વાત કરે છે. તદ્દન અજાણ્યો છે એને તો પત્તો લાગે નહિ એ તો સ્વભાવિક સમજી શકાય એવી વાત છે પણ “શ્રી સફ્યુચરણના આશ્રયે કરી...” જેણે સદ્ગુરુના ચરણનો આશ્રય કર્યો છે. એટલું નહિ આશ્રયે કરી બોધબીજની પ્રાપ્તિ થઈ હોય એવા પુરુષને પણ સદ્દગુરુના સમાગમનું આરાધન નિત્ય કર્તવ્ય છે. એણે વિચાર કરવો એમ ન કીધું. સદ્ગુરુના સમાગમનું આરાધન” કરવું. આરાધવાની વાત છે, વિચાર કરવાની વાત નથી. એ પણ એમ જ વિચારે છે કે જે સગુરુના ચરણમાં રહીને મને બોધબીજની પ્રાપ્તિ થઈ તો એ જ સદ્ગુરુના ચરણનું આરાધન કરવું, સમાગમનું આરાધન કરવું એ જ મારા માટે વધુમાં વધુ હિતાવહ છે. એ વાત તો એને અનુભવથી પણ સિદ્ધ થઈ ગઈ છે. મુમુક્ષુ :- પૂજ્ય ભાઈશ્રી :- છે જ. “સોગાનીજી'ના પત્રો જુઓ ! જ્ઞાનપ્રાપ્તિ તો આવતાવેંત કરી છે. એટલી બધી પાત્રતા લઈને આવ્યા છે, ઉત્કૃષ્ટ પાત્રતા લઈને આવ્યા છે. કેટલી ? ચરમસીમાની ઉત્કૃષ્ટ પાત્રતા લઈને આવ્યા છે કે સાંભળતાવેંત અનુભવ લીધો. પણ શ્રીગુરુના ચરણમાં જવા માટે એમની વૃત્તિ છે એ વારંવાર, વિશેષપણે આતુર થઈ આવે છે. અને કોઈવાર તો એમને ગુરુનો
SR No.007188
Book TitleRaj Hriday Part 13
Original Sutra AuthorN/A
Author
PublisherVitrag Sat Sahitya Prasarak Trust
Publication Year2014
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy