SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ મુખપૃષ્ઠ પરિચય આ મહાવીરનો વારસદાર કોણ?' કૃતિનું મુખપૃષ્ઠ અનેક વિષયો પર ધ્યાન કેન્દ્રિત કરાવે છે. આંબાના વૃક્ષ પર એક પણ કેરી વર્તતી નથી પરંતુ તે જ વૃક્ષ પર કેળા, પપૈયા, સફરજન વગેરે અનેક ફળો દર્શાવવામાં આવ્યા છે. આ પ્રતીકાત્મક ચિત્ર એમ સમજાવે છે કે જેવું વૃક્ષ છે, તેવું તેનું ફળ વર્તતુ નથી. ભગવાન મહાવીરને વૃક્ષ સાથે સરખાવવામાં આવ્યું છે તથા તે વૃક્ષ પર પાકેલા ફળને વર્તમાનમાં ભગવાન મહાવીરના વારસદાર હોવાનો દાવો કરતા મતાર્થી સમજવા. તે મતાથ પાક્યા તો ખરા, પણ જેવું વૃક્ષ હતું તે રૂપે ન પાક્યા. આંબાના વૃક્ષ પર એક પણ કેરી ન પાકી પણ કેળા, પપૈયા જેવા ફળ ) પાયા, તેને આકાળની વિકૃતિ સમજવી. વૃક્ષનો ઢંકાયેલો ભાગ એમ બતાવે છે કે તે ઢંકાયેલા ભાગ પર કેરીનું ફળ હોય પણ શકે છે. તેના પરથી એમ સમજવું કે આ કાળમાં પણ ભગવાન મહાવીરના અસલી વારસદાર, આત્મજ્ઞાની ક્યાંક છુપાયેલા પણ હોય શકે છે. જો જ્ઞાનીનો છે યોગ ન થાય તો એમ સમજવું કે પોતે જ જ્ઞાનીને પ્રાપ્ત કરવા યોગ્ય પાત્ર થયો નથી. આ ચિત્રને માત્ર પ્રતીકાત્મક સમજીને તેના પાછળનો 8/ મૂળ હેતુ ગ્રહણ કરવો, તો જ પુસ્તકનો મૂળ મર્મ સમજી શકાશે. ઉ) લોઉ ૨૯ ૯ ૨૯ )
SR No.007154
Book TitleMahavirno Varasdar Kon
Original Sutra AuthorN/A
AuthorFulchandra Shastri
PublisherShyam Samadhi Ashram
Publication Year2008
Total Pages98
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy