SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ પર). મહાવીરનો વારસદાર કોણ? કરોડો રૂપિયા હોવા છતાં તે ક્યાંય જઈ શકતો નથી. del 244 24H08aj }, "money never talks, karmoday talks.” ખરેખર પુણ્ય અને પાપનો ઉદય બાલે છે. તેમાં પણ ઉદયને આધીન થવું એ જ જ્ઞાનીનું કર્તવ્ય છે. અજ્ઞાની જે રૂપિયાને પોતાના માને છે અને દુનિયાની સામે પોતાના બતાવે છે, તે રૂપિયા જો ખરેખર પોતાના હોય તો રૂપિયાની નોટમાં ગવર્નરની સહી છેકીને પોતાની સહી કેમ કરતો નથી? નોટમાં છાપેલો નંબર છેકીને, પોતાનો ફોન નંબર લખીને તે નોટને બજારમાં ચલાવવી જોઈએ પણ નોટમાં પોતાનું નામ તથા નંબર લખવાથી તે ચલણી નોટ પણ નકલી થઈ જાય છે. એનો અર્થ એ થયો કે એ નોટ પણ, તો જ ચાલે છે, જો તમે તેને પોતાની બનાવવાનો પ્રયત્ન ન કરો. અને જો કોઈ એ રીતે નોટમાં છેકછાક કરીને પોતાની બનાવવાનો પ્રયત્ન કરશે તો રૂપિયા સાથે છેડછાડ કરવાના અપરાધમાં તેને જેલની સજા પણ થઈ શકે છે. આમ, જે રૂપિયામાં અજ્ઞાની પોતાપણું કરે છે, તે રૂપિયામાં તેનું પોતાનું કંઈ ચાલતું નથી. પૈસાનો લોભી પૈસા પાછળ ગાંડો થતો હોવા છતાં તેને પૈસાના ગુણ કે પર્યાયથી કોઈ ફરક પડતો નથી. પૈસાના સ્પર્શ, રસ, ગંધ તથા વર્ણ, એમ મુખ્ય ચાર ગુણોની પર્યાયનો નિરપેક્ષ ભાવ તેને પ્રત્યક્ષમાં દેખાતો હોય છે. પાંચની નોટનો કોમળ સ્પર્શ હોય કે પાંચના સિક્કાનો કડક સ્પર્શ હોય, તેને કોઈ ફરક પડતો નથી. તેને તો માત્ર પાંચ રૂપિયા જોઈએ છે. તેવી રીતે રૂપિયાની નોટો ખાટી હોય કે ખારી હોય, તેને નોટના રસ સાથે પણ કોઈ પ્રેમ નથી. હજારો લોકોના હાથમાં ફરી ફરીને તેનોટમાં મેલ અને પરસેવાની દુર્ગંધ મારતી હોય તો પણ તેને તે લેવામાં કોઈ આપત્તિ નથી. એવી રીતે જો ભારત સરકાર સો રૂપિયાની નોટને લાલ કે કાળા રંગમાં છાપે તો પણ લોકોને ફરક પડતો નથી. કોઈપણ પ્રકારના સ્પર્શ, રસ, ગંધ તથા વર્ણરૂપે પરિણમતા રૂપિયાને અજ્ઞાની કેમ પોતાના માને છે? શા માટે અજ્ઞાની, રૂપિયાનો ગુલામ બની જાય છે? તેનો સ્પષ્ટ ઉત્તર એ છે કે તે રૂપિયાથી વિષયભોગોને ખરીદી શકશે, એવીતેશ્રદ્ધા કરે છે. જ્યારે કોઈ મહિલા દસ હજાર રૂપિયાની સાડી ખરીદીને પહેરે છે ત્યારે તેને આનંદ થાય છે, પણ થોડી વાર પછી તે દેખે છે કે કોઈ બીજી મહિલાએ પંદર
SR No.007154
Book TitleMahavirno Varasdar Kon
Original Sutra AuthorN/A
AuthorFulchandra Shastri
PublisherShyam Samadhi Ashram
Publication Year2008
Total Pages98
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy