________________
મહાવીરનો વારસદાર કોણ? તમારા પૈસા બતાવતા નથી? તો તેઓ બોલ્યા કે અમે ઈન્કમટેક્ષવાળાને અમારા પૈસા બતાવતા જ નથી.
તેનો અર્થ તો એ થયો કે જ્યાં પૈસા જતા રહેવાની સંભાવના હોય છે ત્યાં પૈસા બતાવતા નથી. ચોર તથા ડાકુને પણ પૈસા બતાવતા નથી. અહીં સુધી કે એવી કોઈ પણ વ્યક્તિને પોતાના પૈસા બતાવતા નથી કે જેને પોતાના પૈસા બતાવ્યા બાદ સામાવાળી વ્યક્તિ પૈસાની માંગણી કરવાની હોય. એનો અર્થ એમ નથી કે તે પોતાના પૈસા બીજાને નહિ બતાવતો હોવાથી તેને પૈસાનું અભિમાન રહ્યું નથી. જ્યાં પણ પોતાનો માન કષાય પોષાય છે, ત્યાં ગમે તેમ કરીને પણ પોતાની પ્રસિદ્ધિના લોભથી સંપત્તિ વગેરે બાહ્ય સાધનો વડે અજ્ઞાની પોતાને મહાન બતાવવાનો પ્રયત્ન કરે છે.
કુશીલસેવન કરવાના ફળમાં સુપુત્રની પ્રાપ્તિ થાય કે સંસ્કારી માતાપિતાને ત્યાં સંસ્કારી પુત્ર જન્મ; એવો નિયમ નથી. સુપુત્રની પ્રાપ્તિ કુશીલસેવન કરવાથી નહિ પણ પુણ્યના ઉદયથી થાય છે. માતા-પિતા ધર્મના સંસ્કારી ન હોય, તેમ છતાં પુત્ર ધર્મમાર્ગે ચાલે છે, આજીવન બ્રહ્મચર્યવ્રત અંગીકાર કરી મુનિદીક્ષા પણ લઈ લે છે. માતા-પિતાની જેમ લગ્ન કરીને, સંસારભોગ ભોગવવાની દીકરાને ઈચ્છા જ ન થાય, ત્યાં એમ સમજવું કે માતા-પિતા અને દીકરાનો સંસ્કાર દષ્ટિએ કોઈ સંબંધ નથી.
પરિગ્રહ સંબંધી પાપ વિષે પણ અજ્ઞાનીની આવી મિથ્યા માન્યતા હોય છે. તે કહે છે કે પૈસા કમાવવા કરતા પૈસા બચાવવા એ વધુ અગત્યનું છે. વ્યક્તિ ભલે પૈસા ઘણા કમાતો હોય પણ પૈસા બચાવે નહિ તો તેને કહેવાય છે કે મુંબઈની કમાણી, મુંબઈમાં સમાણી? તેથી લોકો પોતાને પૈસા બચાવવાના કારણે મહાન માને છે. ખરેખર, પૈસા બચાવવાવાળા પણ ઘણા છે પરંતુ પૈસા પચાવવાવાળા કોઈ વિરલા જ છે, તે જ ખરા નીતિવાન છે.
આમ, પાંચ પાપનું ફળ તો પ્રતિકૂળતા જ છે અને પુણ્યનાં ફળમાં જ અનુકૂળતા છે. તેથી એમ સિદ્ધ થયું કે વર્તમાનમાં થતા પાપભાવને તથા વર્તમાનમાં મળતાસંયોગોને પરસ્પર કોઈ સંબંધ જ નથી.
કોઈ વ્યક્તિ આખી જિંદગી પુષ્કળ મહેનત કરીને એક લાખ રૂપિયા