SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૦ : સ્વાધ્યાય સંચય દેવ કૃપાળુ દેવ! શ્રી રાજચન્દ્ર દેવ! શ્રી સહજાત્મ દેવ! પરમ કૃપાળુ દેવ! સહજાત્મસ્વરૂપ પરમગુરુ એ મંત્ર જાપતાં; સ્થિરતા થતી મુજ મન મહીં એ ભાવ ભાવતાં, દેવ કૃપાળુ દેવ! સંકટ સકળ સંસારના સમભાવથી સહી; ચરણ ચહું તુજ સંતના સ્વરૂપમાં રહી. દેવ કૃપાળુ દેવ! નિશદિન રહું તુજ ભક્તિમાં જગને ભૂલી જવા; નિ:શંક થઈ નિર્ભય બની, નિ:સંગ થઈ જવા. દેવ કૃપાળુ દેવ! •* શું સાર છે સંસારમાં? જાગી જો જીવતું વિચાર કરી જો, શું સાર સંસારમાં? જીવો સર્વ દુ:ખી દુ:ખી, બળી રહ્યા, રાગાદિ અંગારમાં; આધિ વ્યાધિ ઉપાધિ આદિ દુ:ખનો સંતાપ જ્યાં સર્વદા, મૃત્યુ જન્મ જરાદિ દુ:ખ દરિયો, ત્યાં સૌખ્ય શું? જો કદા? ૧ પામી દુર્લભ આ મનુષ્ય ભવને જો તત્ત્વ જાણ્યું નહીં, આવ્યો પાર ન જો ભવાબ્ધિ દુ:ખનો શું શ્રેય સાધ્યું અહીં? હું છું કોણ? સ્વરૂપ શું મુજ તણું? આ બંધનો શાં બધાં? છેદી સર્વ પ્રપંચ સંસ્કૃતિ દુ:ખોનો અંત આણું કદા? ૨ ચોરાસી લખયોનિમાં જીવ ડૂબ્યા, ચારે ગતિમાં ભમે, વેદે દુ:ખ સદા પરાધીન રહી, સત્સૌખ્યમાં ના રમે; ચક્રી શક્ર સમા સુખી પણ ચહે, આત્મિક શાશ્વત સુખો, આ ચિંતામણિ યોગ સાર્થક કરું, છેદું ભવાબ્ધિ દુ:ખો. ૩
SR No.007122
Book TitleSwadhyay Sanchay
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Swadhyay Mandir
PublisherShrimad Rajchandra Swadhyay Mandir
Publication Year1987
Total Pages480
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy