SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ 18) The Life of Lord Sri Mahavira ચંડકૌશિકને પૂર્વભવ ચંડકૌશિક પૂર્વભવમાં એક ઉગ્ર તપસ્વી સાધુ હતા. એક દિવસે તપસ્યાને પારણે ગોચરી વહોરવા માટે એક શિષ્યની સાથે ગામમાં ગયા. રસ્તે ચાલતાં તેમના પગ નીચે એક નાની દેડકી આવી ગઈ. દેડકીની થએલી વિરાધનાને પ્રાયશ્ચિતપૂર્વક પડિકામવા માટે હિતચિંતક શિષ્ય ગુરુને ઈરિયાવહી પડિક્કમતાં, ગોચરી પડિક્કમતાં અને સાયંકાળનું પ્રતિક્રમણ કરતાં-એમ ત્રણ વાર દેડકીવાળી વાત સંભાળી આપી. આથી સાધુને ખૂબ ક્રોધ ચઢયો. ક્રોધમાં ને ક્રોધમાં તેઓ શિષ્યને મારવા દેડક્યા, પણ અકસ્માત એક થાંભલા સાથે અફળાતાં તપસ્વી સાધુ કાળધર્મ પામ્યા. ત્યાંથી તેઓ જ્યોતિષ્ક વિમાનમાં દેવ તરીકે ઉત્પન્ન થયા. ત્યાંથી અવીને તે આશ્રમમાં પાંચસો તાપસીનો સ્વામી ચંડકૌશિક નામે તાપસ થયો. તેને પોતાના આશ્રમ ઉપર એટલે બધો મોહ હતા કે કદાચ કોઈ માણસ આશ્રમનું કંઈ ફળ-ફૂલ તોડે તો તે જ વખતે ક્રોધે ભરાઈ, કુહાડો લઈને મારવા દોડે-એક વખતે તે તાપસ થોડા રાજકુમારોને પોતાના આશ્રમના બાગમાંથી ફળ તોડતા જોઈ ક્રોધે ભરાયો. કુહાડ લઈ મારવા ધસી જતા હતા, તેટલામાં અચાનક કુવામાં પડી ગયા અને ક્રોધના અધ્યવસાયથી મરીને તે જ આશ્રમમાં પિતાના પૂર્વભવના નામવાળો દષ્ટિવિષ સર્પ થયો. | મહાવીર પ્રભુ તો આશ્રમમાં આવીને કાઉસગ્ગ ધ્યાને સ્થિર રહ્યા-પ્રભુને જોઈ ક્રોધથી ધમધમી રહેલે તે સ. સુર્ય સામે દૃષ્ટિ કરી. પ્રભુ તરફ દષ્ટિજવાળા ફેંકે અને રખેને પ્રભુ પોતાની પર પડે એવા ભયથી પાછો હડી જાય. એટલું છતાં પ્રભુ તે નિશ્ચલ જ રહ્યા. આથી તેણે વિશેષ દૃષ્ટિજવાળા ફેંકવા માંડી, તથાપિ એ જવાળાઓ પ્રભુને તે જળધારાઓ જેવી લાગી ! ત્રણ વાર દષ્ટિવાળા છોડવા છતાં પ્રભુનું એકાગ્રધ્યાન તૂટવા ન પામ્યું, તેથી તે અસાધારણ રોષે ભરાયો. તેણે પ્રભુને એક સખ્ત ડંખ માર્યો. તેને ખાત્રી હતી કે : “મારા તીવ્ર વિષનો પ્રતાપ એટલો ભયંકર છે કે પ્રભુ હમણાં જ પૃથ્વી ઉપર મૂછિત થઈને પડવા જોઈએપરંતુ આશ્ચર્ય જેવું છે કે પ્રભુના પગ ઉપર વારંવાર ડસવા છતાં પ્રભુને તેનું લેશ માત્ર પણ ઝેર ન ચઢયું; ઊલટું હંસવાળા ભાગમાંથી ગાયના દૂધ જેવી રૂધિરની ધારા વહેવા લાગી. વિરમય પામેલ ચંડકૌશિક સર્ષ થોડીવાર પ્રભુની સન્મુખ નિહાળી રહ્યો. પ્રભુની મુદ્રામાં તેને કંઈક અપૂર્વ શાંતિ જણાઈ. એ શાંતિએ તેના દિલ ઉપર અપૂર્વ અસર કરી. તેના પોતાનામાં પણ શાંતિ અને ક્ષમા આવતાં દેખાયાં. ચંડકૌશિકને શાંત થએલો જોઈ પ્રભુએ કહ્યું કે : “હે ચંડકૌશિક કંઈક સમજ અને બુઝ-બોધ પામ!” પ્રભુની શાંતિ અને ધીરતાએ તેના પર અસર કરી જ હતી, એટલામાં પ્રભુનાં અમૃત શાં મીઠાં વેણ સાંભળતાં અને તે વિષે વિચાર કરતાં તેને જાતિસ્મરણ (પોતના પૂર્વભવ સંબંધિનું) જ્ઞાન ઉત્પન્ન થયું. તે પોતાના ભયંકર અપરાધોને પશ્ચાત્તાપ કરવા લાગ્યો. પ્રભુને પ્રદક્ષિણા આપતો તે મનમાં વિચારવા લાગ્યો કેઃ “ખરેખર આ કરુણાસમદ્ર ભગવંતે મને દુર્ગતિરૂપ મટી ખાઈમાં પડતો બચાવી લીધો. તે જ વખતે તેણે અનશનવ્રત લઈ લીધું. રખેને પોતાની વિષમય ભયંકર દષ્ટિ કઈ સદોષ કે નિર્દોષ પ્રાણી ઉપર પડી જાય એવા શુભ હેતુથી તેણે પિતાનું મસ્તક દરને વિષે છુપાવી દીધું. આ પ્રસંગને મળતે કૃષ્ણના જીવનને એક પ્રસંગ એક વખત એક વનમાં નદી કિનારે નન્દ વગેરે બધા ગોપ-ગોવાળે સૂતા હતા, તે વખતે એક પ્રચંડ ૧. આવી જ એક વાત બુદ્ધ વિશે જાતક નિદાનમાં છે. ઉલ્લામાં (ભગવાન) બુદ્ધ એકવાર ઉળવેલકાશ્ય નામના પાંચસે શિષ્યવાળા જટિલની અગ્નિશાળામાં રાતવાસો રહ્યા, જ્યાં એક ઉગ્ર આશીવિષ સર્પ રહેતો હતો. બુદ્ધ તે સપને જરાપણ ઇજા પહોંચાડ્યા સિવાય નિસ્તેજ કરી નાંખવા ધ્યાન-સમાધિ આદરી. સર્ષે પણ પિતાનું તેજ પ્રગટાવ્યું. છેવટે બુદ્ધના તેજ સતિજને પરાભવ કર્યો. સવારે બુદ્ધ એ જટિલને પોતે નિસ્તેજ કરેલ સર્પ બતાવ્યો. એ જોઈ એ જટિલ બુદ્ધને પોતાના શિષ્યો સાથે ભક્ત થ. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.006718
Book TitleLife of Lord Mahavira
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year
Total Pages178
LanguageEnglish
ClassificationBook_English
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy