SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ [ 8 ] – – ગ્લર મોર્થ નીકળ્યું તે ઉપરથી જણાય છે કે શંખલપુરમાં પહેલાં ભવ્ય દેરાસરે હશે. પરંતુ મુસલમાની રાજ્યકાળમાં લડાઈના ભયથી બધી મૂર્તિઓ વગેરે યરામાં ભંડારી દીધું હશે. ખાસ યાત્રા કરવા યોગ્ય છે. બહુચરાજી સ્ટેશનથી શંખલપુર લગભગ બે માઈલ થાય છે. ટુવડમાં દશા શ્રીમાળી શ્રાવકનાં ઘર ૮, દેરાસર ૧, ઉપાશ્રય ૨ છે. કુંવારદમાં શ્રાવકનાં ઘર , દેરાસર ૧, ઉપાશ્રય લે છે. આ બને ગામે નાનાં છે, પણ તેમાં દેરાસરે સારાં છે. (૫) પાટડી સ્ટેશનથી શંખેશ્વર ઉત્તર દિશામાં ૨૨ માઈલ થાય છે. પાટડીથી દસાડા પંચાસર થઈને શંખેશ્વર જવાય છે. પાટડી નાનું સ્ટેટ છે. ગામ ઠીક છે. વેપારનું સામાન્ય મથક છે. અહીં શ્રાવકેનાં ઘર કર દેરાસર ૨ શિખર ૧ પાટડીથી પૂર્વ દિશામાં સાત માઈલ દૂર ઉપરીઆળા તીર્થ આવેલું છે. આ ગામ બજાણું સ્ટેટનું છે. ગામ પ્રાચીન છે. અહીં શ્રી આદીશ્વર ભગવાનનું શિખરબંધી દેરાસર એક છે. તેમાં મૂળનાયકજી વગેરે ત્રણ મૂર્તિઓ પીળા આરસની અને એક મૂતિ શ્યામ આરસની છે. મૂર્તિઓ મનહર છે. એ ચારે મૂર્તિઓ સં. ૧૯૧૯માં જમીનમાંથી પ્રગટ થઈ હતી. ત્યારપછી દેરાસર કરાવીને તેમાં પધરાવેલ છે. અઢારમી શતાબ્દિની બનેલી તીર્થમાળાઓમાં ઉપરીઆળામાં દેરાસર હોવાનું લખ્યું છે. એટલે ઉક્ત મૂર્તિઓ અહીંના જ દેરાસરની હશે, એમ માની શકાય છે. અહીં ધર્મશાળા અને કારખાનું છે, યાત્રાળુઓને સર્વ પ્રકારની સગવડ છે. શ્રાવકનું ઘર એક જ છે. અવશ્ય યાત્રા કરવા લાયક છે.
SR No.006291
Book TitleSankheshwar Mahatirh
Original Sutra AuthorN/A
AuthorJayantvijay
PublisherVijaydharmsuri Jain Granthmala
Publication Year1942
Total Pages562
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy