SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગમાં પ્રકરણે પાડીને આપવામાં આવ્યું છે. જ્યારે અનેક ભંડારોમાંની હસ્તલિખિત પ્રતિઓ કે પાનાંમાંથી તથા છપાયેલાં પુસ્તકેમાંથી પણ શ્રી શંખેશ્વરછ સંબંધીની કૃતિઓ મેળવી તેના વિભાગ પાડીને આ પુસ્તકના બીજા ભાગમાં આવેલ છે. તે ઉપરાન્ત પરિશિષ્ટ, શિલાલેખો અને તેનું ભાષાંતર વગેરે આપીને તથા વિષયાનુક્રમણિકા, ગ્રંથ તેમજ કૃતિઓની (ર્તાઓનાં નામ સાથે) સાલવાર અનુક્રમણિકા, ઉપયોગમાં લીધેલા ગ્રંથનાં નામ, સાંકેતિક શબ્દોને ખુલાસે વગેરે આપીને તેમજ ત્યાંના ભવ્ય જિનમંદિરનાં પંદર મનહર ચિત્ર આપીને આ ગ્રંથને યથાસાધ્ય સુંદર અને ઉપયોગી બનાવવા પ્રયત્ન કર્યો છે. આ તીર્થપર શ્રદ્ધા અને ભક્તિ રાખનારા સજજનેને તે આ ગ્રંથ ઉપયોગી થશે જ. ઉપરાન્ત પ્રાચીન ભાષા, રીત-રિવાજે, શિલાલેખે, કૃતિઓ અને પ્રાચ્ય વિદ્યા ઉપર પ્રેમ ધરાવનારા અને તેને જાણવાની ઈચ્છા ધરાવનારા સજ્જનેને પણ આ ગ્રંથ છેડે ઘણે અંશે ઉપયોગી થશે, એમ હું માનું છું. શ્રી શંખેશ્વરજીની યાત્રાએ જનારા યાત્રાળુઓને આ પુસ્તક ત્યાંની બધી માહિતી પૂરી પાડતું હોવાથી સહાયક થશે જ, પરંતુ આ પુસ્તકને ઘરે બેઠાં બેઠાં વાંચનારાઓને પણ શ્રી શંખેશ્વરજીની યાત્રાને આનંદ થોડે ઘણે અંશે તે જરૂર મળશે જ. આ રીતે આ પુસ્તક જૈન સમાજને થોડે ઘણે અશે પણ ઉપયોગી થશે, તે હું મારે પરિશ્રમ સફળ થયો માનીશ. સમસ્ત જૈન સમાજની, તેમાં પણ ખાસ કરીને રાધનપુર, પાટણ અને શંખેશ્વરજીની આસપાસનાં ગામના જેનોની આ તીર્થ પર વિશેષ શ્રદ્ધા અને ભક્તિ હોવાથી આ પુસ્તકની પહેલી આવૃત્તિ જલદીથી ખલાસ થઈ જવાની સંભાવના હોવાથી આની બીજી આવૃત્તિ તાકીદે બહાર પાડવી પડશે, એમ લાગે છે. જે એમ થશે તો તે દરમ્યાન શ્રી શંખેશ્વરછ સંબંધી જે કાંઈ વિશેષ હકીકત અને નવી નવી કૃતિઓ પ્રાપ્ત થશે, તે પણ તેમાં દાખલ કરવામાં આવશે.
SR No.006291
Book TitleSankheshwar Mahatirh
Original Sutra AuthorN/A
AuthorJayantvijay
PublisherVijaydharmsuri Jain Granthmala
Publication Year1942
Total Pages562
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy