________________
પ્રકરણ પંદરમું : મેળા અને રાજ્યપ્રેમ મેળા–
શ્રીશંખેશ્વર પાર્શ્વનાથજી તીર્થના અંગે અહીં કાયમ ખાતે દર વર્ષે ત્રણ મોટા મેળા ભરાય છે. ૧ ચૈત્રી પૂનમને, ૨ કાર્તકી પૂનમને અને ૩ પોષ દશમી-માગશર વદિ ૧૦ ને.
(૧) ઉપરોક્ત ત્રણે મેળામાં પણ ચિત્રી પૂનમને મેળે સૌથી જબરદસ્ત ભરાય છે. આ મેળા ઉપર રાધનપુર અને પાટણથી સંઘે આવે છે, તે ઉપરાંત ગામેગામથી યાત્રાળુઓ આવે છે. આ મેળા પ્રસંગે મુનિરાજે અને સાધ્વીજીએ પણ સારા પ્રમાણમાં આવે છે. આ મેળે સાર્વજનિક હોઈ જેને ઉપરાંત અઢારે વર્ણના મનુષ્ય આ મેળામાં માલ વેચવા અને ખરીદવા માટે આવે છે. તેઓ બધા શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુજીનાં પ્રેમ અને ભક્તિથી દર્શન કરીને યથાશક્તિ ભેટ ચડાવે છે. આ મેળા ઉપર ગામના કે બહારગામના વેપારીઓ ગમે તેટલે માલ વેચવા માટે લાવે કે બહારગામથી માલ મંગાવે, તે પણ તેનું દાણ (જગાત) રાજ્ય તરફથી માફ છે. તેમજ આ મેળા ઉપર રાધનપુર સ્ટેટના મુખ્ય મેજીસ્ટ્રેટ સાહેબ, થાણદાર, ફોજદાર સાહેબ વગેરે અમલદારે અને પોલીસ પાટીએ પણ આવે છે. સ્ટેટ તરફથી ચેકી–પહેરાને સારે એબસ્ત રહે છે.