________________
me – માયા મારીને નગારખાના માટે મકાન બનેલું છે. જ્યાં હમેશાં નિયમિત રીતે ઘડીઆ વાગે છે. જનશાળા
રાધનપુર અને આસપાસના કેટલાક ભાવિક જૈન ગૃહસ્થોએ મળીને યાત્રાળુઓની સગવડ માટે પાંચેક વરસથી અહીં એક જિનશાળા ખાલી છે, અને તે બજારના રસ્તા ઉપર રાધનપુરવાળા શેઠ ઈચ્છાચંદ હેમજીની ધર્મશાળામાં રાખવામાં આવી છે. આ લેાજનશાળા થવાથી યાત્રાશુઓને ઘણી અનુકૂળતા થઈ છે. ભોજન આદિની વ્યવસ્થા સારી છે. આ ભેજનશાળામાં જમનાર પાસેથી એક ટંકના ચાર આના અને બે ટંકના છ આના ચાર્જ લેવાને ઠરાવ તેની કમીટીએ કરેલ છે. તે પ્રમાણે ફીની રકમ આવે તે બાદ કરતાં વાર્ષિક સરેરાશ આશરે એક હજાર રૂપિયાને ટોટો પડે છે. એ ટોટો કમીટી, મેંબરેમાંથી અને ગૃહસ્થ પાસેથી ફંડ ઊઘરાવીને પૂરો કરે છે. આ જિનશાળા સાધુસાધ્વીઓની ભક્તિનો સારામાં સારી લાભ ત્યે છે. જનશાળાની દેખરેખ, રાધનપુર, સમી, પંચાસર, પાટણ વગેરે ગામના પ૭ ભાવિક ગૃહસ્થોની કમીટી રાખે છે. કમીટીના મેંબરે અવાર-નવાર અહીં આવીને જાતિ દેખરેખ રાખે છે. વાર્ષિક હિસાબ અને રીપોર્ટ છપાય છે. આ કાર્યમાં રાધનપુરવાળા શાહ બાપુલાલ (લખમીચદ) પ્રેમચંદ સારે રસ લેતા જણાય છે.