SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ <<< GIV). " વિભાગ-૩ ><> તેઓ અત્યંત દયાળુ હતા. એક વખત ઈન્દ્ર મહારાજાએ પોતાની રાજસભામાં મેઘરથ રાજાની પરમ દયાની પ્રશંસા કરી. ત્યારે બે દેવોને = આ વાતમાં શંકા થઈ. તેઓ બન્ને રાજાની પરીક્ષા કરવા આવ્યા. તેમાંથી 34 એક દેવે કબૂતર અને બીજા દેવે બાજ પક્ષીનું રૂપ ધારણ કર્યું. કબૂતરો છ૯૯ ઉડીને રાજાના ખોળામાં બેસી ગયું. એની પાછળ બાજપક્ષી આવ્યું અને થી રાજાને કહેવા લાગ્યું : હે રાજન ! મારો શિકાર મને આપી દો, ત્યારે 33% રાજાએ પોતાને શરણે આવેલા કબૂતરને બચાવવા માટે બાજને કહાં, 1 “તારે જોઈએ તો મારું માંસ લે પરંતુ કબૂતર તને નહીં આપું.' આખરે O નક્કી કર્યા પ્રમાણે કબૂતરના વજન જેટલું પોતાનું માંસ આપવા માટે ||a૦ મેઘરથ રાજા પોતાના પગમાંથી માંસ કાપીને આપવા લાગ્યા. બન્ને પગ 15 કાપવા છતાં દેવમાયાથી કબૂતરનું વજન વધતું ગયું. એટલે ખુદ સ્વયં મેઘરથ રાજા ત્રાજવામાં બેસી ગયા અને એક જીવને બચાવવા ખાતર છે પોતાની સમગ્ર જાતનું બલિદાન આપવા તૈયાર થયા. ત્યારે કબૂતર હાર અને બાજે પોતાનું મૂળ દેવનું રૂપ પ્રગટ કર્યું અને રાજાની પ્રશંસા કરતાં A O સ્વસ્થાને ગયા. - શ્રી શાંતિનાથ પરમાત્માએ કબૂતર વગેરે જીવોને શાંતી આપી. તે પ્રભુની આરાધના માટે લઘુશાંતિ - બૃહદશાંતિ, અજિતશાંતિ વગેરે || કેટલાય સ્તોત્રોની રચનાઓ થઈ. જેને ગણવાથી સર્વત્ર શાન્તિનો પ્રસાર થાય છે. શ્રી મલ્લીનાથ ભગવાને પૂર્વભવમાં થોડી માયા કરી તો તીર્થકરના ભવમાં સ્ત્રી થયા. પૂર્વભવમાં મલ્લિનાથ ભગવાને ૬ મિત્રો સાથે દીક્ષા | લીધી હતી. તપ-જપ આદિ સર્વ અનુષ્ઠાન બધા સાથે જ કરતા. એક વખત શ્રી મલ્લિનાથ ભગવાનના જીવે વિચાર્યું કે હું સૌથી મોટો છું અને મારે સૌથી વધારે તપ કરવો જોઈએ. તેથી કોઈને કહ્યા વિના પોતે Ge. બધાના પારણાના દિવસે ઉપવાસ કર્યો. આ રીતે થોડી જ માયા કરવાથી ||||5) સ્ત્રીવેદ ઉપાર્જિત કર્યું. સાધના ઉત્કૃષ્ટ કરી તેથી તીર્થકર બન્યા પરંતુ સી Jal|અવતારમાં, વળી દિક્ષાને દિવસે જ કેવળજ્ઞાન એક જ તીર્થકરને થયું છે. આથી આપણને આ ઉપદેશ મળે છે કે માયા સંસારની માતા છે, જેમ માતા પુત્રને જન્મ આપે છે તેવી જ રીતે માયા સંસારમાં દુર્ગતિને ) જન્મ આપે છે. તેથી માયા ન કરવી જોઈએ. સુભૂમ ચક્રવર્તી નામના આઠમા ચક્રવર્તી શ્રી અરનાથ ભગવાન JILL
SR No.006190
Book TitleKalapurna Sanskar Shibir
Original Sutra AuthorN/A
AuthorChittaprasannashreeji, Chittaranjanashreeji
PublisherKalapurna Sanskar Shibir
Publication Year2010
Total Pages298
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy