SearchBrowseAboutContactDonate
Page Preview
Page 287
Loading...
Download File
Download File
Page Text
________________ પરિશિષ્ટ કાર્યની સિદ્ધિ થઈ શકે છે. સંકલ્પ-શક્તિ વધારવા માટે નીચેના પ્રયોગો અજમાવી જોવા જેવા છે. ૧) કોઈપણ કામ નિયત સમયે શરૂ કરવું અને નિયત સમયે પૂર્ણ કરવું. ૨) વિઘ્નો આવવા છતાં કામને છોડવું નહીં. પિંડામાંથી મનગમતું શિલ્પ તૈયાર કરે છે, તેમ મનુષ્ય પણ પોતાની સંકલ્પ-શક્તિ દ્વારા પોતાના જીવનને ઈચ્છા પ્રમાણેનો ઘાટ આપી શકે છે. આ વિશ્વમાં એવી કોઈ કલા-હુન્નરવ્યવસાય કે પદ નથી કે જે સંકલ્પ-શક્તિથી સિદ્ધ ન કરી શકાય. Where there is a will, There is a way જ્યાં હૃદયની ઊંડી ઈચ્છા હોય છે, ત્યાં કોઈને કોઈ માર્ગ નીકળી જ રહે છે. સત્સંગ-ભજન-કીર્તન-પ્રાર્થના-પૂજાશુભઆરાધના-ઉપાસના આ બધાંનો ૪) (Original) મૂળ ઉદ્દેશ એકજ છે, કે સદ્વિચારોનું પોષણ થાય, જેનાંથી શુભ સંકલ્પો જાગે અને આ શુભ સંકલ્પશક્તિથી સર્વકાર્ય સિદ્ધ થઈ શકે છે. ૩) બાગ-બગીચામાં ફરવા ગયા હોઈએ ત્યાં વૃક્ષોની લીલી ઘટા સામે એકીટશે જોયા કરવું, આ પ્રક્રિયા ૧૦ મિનિટ ચાલુ રાખવી. બંને ભ્રકુટિઓની વચ્ચે એક કાળું ટપકું કરવું અને દર્પણમાં મુખ જોઈ પેલા કાળા ટપકાં પર દૃષ્ટિ સ્થિર કરવી. ૩-૪ મિનિટથી વધારીને આ સમયને ૧૦ મિનિટનો કરવો, આંખમાં ઝળઝળિયાં આવી જાય તે લૂછીને ફરી પણ પ્રયાસ કરવો, પણ અનુક્રમે આગળ વધવાનું રાખવું. કોઈપણ કામ નિર્ભય બનીને કરો. દૃષ્ટિને સ્થિર કરતા શીખો. બે-ત્રણ મિનિટથી માંડીને દશ મિનિટ સધી એ ક્રિયા ચાલુ રાખો. નિયમિત પ્રયાસ કરવાથી સંકલ્પ-શક્તિ વધે છે, અને તેના પરિણામો આશ્ચર્યકારક આવે છે. તે માટે આશાવાદી બનો, વિચારીને કાર્ય કરવાની ટેવ પાડો, જ્ઞાન મેળવો, નિયમિતતા કેળવો, સમયનું મૂલ્ય સમજો, ચિત્તવૃત્તિઓને એકાગ્ર રાખો, ૫) આત્મનિરીક્ષણ કરતા રહો, શ૨ી૨ને નિરોગી બનાવો, પુરુષાર્થ ન છોડો, આત્મવિશ્વાસ રાખો. ટૂંકમાં સંકલ્પશક્તિ એ ખરેખર એક અજાયબ શક્તિ છે, અને તેના વડે સર્વ ૨૦૩ ૬) તમે જૈન છો જ તો જરા વિચારો..! ૧ ૧ બટાકા-કાંદા વિગેરે ખાવાથી એક અબજ ગાયોને મારી નાખવાનું પાપ લાગે છે. ૧ બટાકા વિગેરેને રાંધવાથી ૧ કરોડ પંચેન્દ્રિય જીવોને બાળી નાખવાનું પાપ લાગે છે. આમ જીભનાં સ્વાદથી કંદમૂળ ખાવાથી કે ખવડાવવાથી અનંતા જન્મ હલકા ભવોમાં દુર્ગતિનાં દુઃખ ભોગવવા પડે છે. જો કંદમૂળમાં આટલું પાપ લાગે તો આજના મોર્ડન અભક્ષ્યોમાં જ્યાં ત્રસ જીવોની હિંસા રહેલી છે, એ તો ખવાય જ કેમ ..?
SR No.006190
Book TitleKalapurna Sanskar Shibir
Original Sutra AuthorN/A
AuthorChittaprasannashreeji, Chittaranjanashreeji
PublisherKalapurna Sanskar Shibir
Publication Year2010
Total Pages298
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy