SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ ૧) વિભાગ-૧ Kisilol તન-મન અને ચિત્તની શુદ્ધિ અને શાંતિ વધારનારી વિશિષ્ટ પ્રક્રિયા. જ્ઞાન મુદ્રા : તર્જની આંગળીનો અગ્રભાગ અને અંગુઠાનો અગ્રભાગ મેળવી બાકીની ૩ આંગળીઓ સીધી રાખવી. લાભ : મનની શાંતિ, જ્ઞાન-વૃદ્ધિ, મનની એકાગ્રતા અને માનસિક તણાવ, ક્રોધ, આળસ, ભય દૂર થાય છે. ૨) શાન-ધ્યાન મુદ્રા : જ્ઞાન મુદ્રા કરીને ડાબા હાથની હથેળી ઉપર જમણા હાથની હથેળી રાખીને પદ્માસન અથવા સુખાસનમાં નાભિ પાસે બન્ને ૬) હાથ રાખવા. લાભ : જ્ઞાન મુદ્રાનાં બધાં લાભ અને ધ્યાનમાં એકાગ્રતા વધે છે. ૩) જ્ઞાન-વૈરાગ્ય મુદ્રા : સુખાસન કે પદ્માસનમાં બેસીને જમણા હાથની જ્ઞાન મુદ્રા કરીને હૃદય પાસે આડો હાથ રાખવો અને ડાબા હાથની જ્ઞાન મુદ્રા કરીને ડાબા ઢીંચણ ઉપર સીધો હાથ રાખવો. લાભ : જ્ઞાન મુદ્રાનાં બધા લાભ અને વૈરાગ્ય જાગે છે. ૪) અભય જ્ઞાન મુદ્રા : જ્ઞાન મુદ્રા કરીને બન્ને હાથ ખભાથી છૂટ્ટા, હથેળી સન્મુખ કરીને ઉભા રાખવા. લાભ : જ્ઞાન મુદ્રાનાં બધાં લાભ અને ભય (ડર) દૂર થાય છે. નિર્ભયતા આવે છે. ૫) તત્ત્વજ્ઞાન મુદ્રા : ડાબા હાથની અનામિકા અને અંગુઠાનો અગ્રભાગ મેળવીને (પૃથ્વી મુદ્રા) જમણા હાથની જ્ઞાન મુદ્રા કરીને બન્ને ઢીંચણ ઉપર બન્ને હાથ (હથેળી સીધી રાખવા) ‘લાભ : જ્ઞાન મુદ્રાનાં બધા (Philosophy) નું જ્ઞાન વધે છે. લાભ અને તત્ત્વજ્ઞાન વાયુ મુદ્રા : તર્જનીનાં અગ્રભાગને અંગુઠાનાં મૂળમાં લગાડી તેની ઉપર અંગુઠાથી દબાવવું અને બાકીની ૩ આંગળીઓ સીધી રાખવી.. આ મુદ્રા વજ્રાસનમાં બેસીને કરવામાં આવે તો તરત જ તેનો વિશેષ લાભ થાય છે. લાભ : વાયુનાં બધાં રોગો દૂર થાય છે. ઢીંચણનો દુઃખાવો દુર થાય છે. ૩૦ મિનિટથી વધારે સમય આ મુદ્રા ન કરવી અને જરૂર પડે ૧૪
SR No.006190
Book TitleKalapurna Sanskar Shibir
Original Sutra AuthorN/A
AuthorChittaprasannashreeji, Chittaranjanashreeji
PublisherKalapurna Sanskar Shibir
Publication Year2010
Total Pages298
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy