________________
૨૯૮ કર્મ-વિચાર ભાગ-૩
જીવ આ જીવનો હુકમ માને, એવી સ્થિતિમાં જીવને મૂકનાર કર્મ આદેય નામકર્મ અને અધિકાર છતાં બીજા હુકમ ન માને, એવી સ્થિતિમાં જીવને મૂકનાર કર્મ તે અનાદેય નામકર્મ.
૧૫૦. ૧૦૨. ૧. યશ-કીર્તિનામકર્મ ૧૫૧. ૧૦૩. ૨. અપયશ-અકીર્તિનામકર્મ આ બને પરસ્પર વિરોધી કર્મો પણ જીવવિપાકી છે.
જીવનો યશ અને કીર્તિ લાવનાર યશ-કીર્તિનામકર્મ છે અને અપયશ અને અપકીર્તિ લાવનાર અપયશ-અપકીર્તિનામકર્મ છે.