________________
૯૪ કર્મ-વિચાર ભાગ-૨
તેમાં થોડો સિમેંટ અને પાણી નાંખીએ, તો લાડવો વળે. અથવા ચૂનાનો તેલ નાંખીએ, તો લાડવો વળે.
આ પા શેર તલમાં પા શેર તેલ નાંખીને તેનો લાડવો વાળો. એ પણ શી રીતે વળે ? ત્યારે કેવી રીતે લાડવો વળે ?
તેમાં થોડોક જ ઢીલો ગોળ, કે ખાંડની ચાસણી નાંખીએ, તો જરૂર લાડવો વળે.
તેલ અથવા પાણી નાંખવાથી કેમ લાડવો નહીં વળતો હોય ? - તેમાં જોઈએ તેટલી ચીકાશવાળો પદાર્થ મળે, તો જરૂર લાડવો મળે.
ઓછી ચીકાશ હોય, કે બહુ જ વધારે પડતી ચીકાશવાળી વસ્તુ હોય, તો લાડવો ન વળે.
- આ ઉપરથી એમ સમજાશે કે, પરમાણુઓના સ્કંધો બને છે, તેનું કારણ પણ પરમાણુઓમાં રહેલો ચીકાશ નામનો સ્પર્શ ગુણ પ્રગટ થાય છે. એટલે એકબીજા પરમાણુઓ બંધાઈને સ્કંધો તથા વર્ગણાઓ બને છે.
એ ચીકાશ : પરમાણુમાં રહેલા સ્પર્શ ગુણનો પેટા ભેદ છે. પાંચ રંગ છે : લાલ-લીલો-પીળો-કાળા-ધોળો. પાંચ રસ છે : ગળ્યો-ખારો-ખાટો-તીખો-કડવો. બે ગંધ છે : સુગંધ, દુર્ગધ.
આઠ સ્પર્શ છે : ઠંડો-ઊનો, સુંવાળો-ખડબચડો, ચીકાશ-સ્નિગ્ધ, અને રુક્ષ-લૂખો તથા હલકો અને ભારે. " આ સિવાય, બીજી ઘણી રીતે આ ચારના પેટા ભેદો હોય છે. પરંતુ વ્યવહારમાં મુખ્યપણે વપરાતા પેટા ભેદો અહીં ગણાવ્યા છે. જેમકે-નીલ વર્ણમાં-લીલો, પોપટીઓ, ઘેરો લીલો, આસમાની, પીરોજા, સ્લેટી, વાદળી, વગેરે ઘણી જાતના પેટા રંગોનો સમાવેશ થાય છે. એ પ્રમાણે બધાયમાં સમજવું.