________________
૧૦
શ્રીગૌસ્તુભ
[ પ્રથમ નિવિકલ્પસમાધિની પ્રાપ્તિ સર્વથા સંભવિત છે.
દેહાદિક અનાત્મામાં જે આત્મબુદ્ધિ, આકાશાદિ અનિયમાં જે નિત્યબુદ્ધિ, ધનાદિક દુઃખનાં સાધનવિષે જે સુખબુદ્ધિ, અને સ્ત્રીપુત્રાદિનાં અપવિત્ર શરીરમાં જે પવિત્રબુદ્ધિ તે અવિદ્યા કહેવાય છે. બુદ્ધિ તથા આત્માની એકતાની પ્રતીતિને અસ્મિતા–સામાન્ય અહંકાર-કહે છે. સુખને જાણનારની સજાતીય સુખમાં ને તેનાં સાધનમાં જે તૃષ્ણ તે રાગ કહેવાય છે. દુઃખને જાણનારને સજાતીય દુઃખપર ને તેનાં સાધન પર જે ક્રોધ તે દ્વેષ કહેવાય છે, ને મૃત્યુનું ભય ને જીવવાને ઘણે આગ્રહ, તે અભિનિવેશ કહેવાય છે. એ પાંચ પ્રકારના કલેશ જીવના શુદ્ધ સ્વરૂપમાં એટલે સાક્ષીમાં નથી, માત્ર અંતઃકરણમાં છે, માટે કલેશરહિત સાક્ષીને બ્રહ્મથી અભેદ છે. જેમ ઘટમઠાદિની ઉપાધિથી એકજ મહાકાશમાં ઘટાકાશમઠાકાશાદિ પ્રતીત થાય છે તેમ એકજ બ્રહ્મમાં અંત:કરણની ઉપાધિને લીધે ઘણા જીની પ્રતીતિ થાય છે. ઉપાધિએ કરેલો ભેદ વાસ્તવિક ન હોવાથી અંતઃકરણરહિત જીવનું જે ચેતનસ્વરૂપ તેને બહાથી અભેદ છે, જીવનું પરિચ્છિન્નપણું (એકદેશીપણું) પણ અંત:કરણરૂપ ઉપાધિને લીધે છે.
ઉપાધિનો ત્યાગ કરીએ તે બ્રહ્મથી અભેદ હોવાથી તે પણ વિભુ છે. એવી રીતે જીવને ઉપાધિ જે અંતઃકરણ તેને બાધ કરતાં તેનો વિશેષ ભાગ જે સાક્ષી તેને બ્રહ્મથી અભેદ સંભવિત છે.
શકા–બધા માં જે એકજ ચેતન હોય તે જીવને પરસ્પરના સુખદુઃખનું ભાન કેમ થતું નથી ?
સમાધાન –સુખદુઃખનું ભાન થવું એ અંતઃકરણને ધર્મ છે. તે અંત:કરણ ભિન્ન ભિન્ન શરીરમાં ભિન્ન ભિન્ન હોવાથી પરસ્પરના સુખદુઃખનું ભાન પરસ્પરને પ્રત્યક્ષ રીતે થવું સંભવતું નથી. ચેતનથી વિજાતીય ચેતન અન્ય નથી, ને એક ચેતનથી નિર્વાહ થતા હોય