________________
ર૭૦
શ્રીયોગકૌસ્તુભ
[તેરમી
સમુદ્ર જે આ બધી વાત સાંભળતો હતોતેણે તે સમયે ઉપહાસપૂર્વક પિતાની લહરી વધારી તે ઇંડાંને ગ્રહણ કર્યો, ને તેને નાશ ન કરતાં તેને એક નિર્જનદ્વીપમાં સાચવીને રાખ્યો. તે બંને પક્ષીઓ કેટલોક સમય વીત્યા પછી આહાર કરી તૃપ્ત થઈ પાછાં પિતાના સ્થાનપ્રતિ આવ્યાં, ને જુએ છે તે ત્યાં પિતાન ઈડાં મળે નહિ. તે સ્થાને સમુદ્રના જલની લહરી ફરી વળેલી હે પાથી તેમણે નિશ્ચય કર્યો કે આ સમુજ અમારાં ઇંડાં ગ્રહણ કર્યા છે. પિતાનાં ઇંડાં નહિ જેવાથી ટીટોડી આકંદ કરવા લાગી, ને ટીટોડાને કહેવા લાગી કે – “મેં આપને પૂર્વે કહ્યું હતું તેમજ આ ઉન્મત સમુદ્ર કર્યું કે નહિ? હવે આપણે શું કરીશું? આપના મિશાભિમાનથી મારાં ઈને નાશ થા.” ટીટોડે ઉત્તર આપ્યું કે --“ મારા પૂર્વના સંકલ્પપ્રમાણે હું સમુદ્રનું શોષણ કરીને તને તારાં ઇ . પાછાં અપાવીશ, માટે તારે શોક કરવાનું કાંઈ પણ પ્રયોજન નથી.' એમ કહી દર્ભને એક નાનો કટકે પિતાની ચાંચમાં લઈ તે સમુદ્રમાં બેળા તેમાં આવેલ સ્વલ્પ જલને સમુદ્રના તટથી થોડે દૂર નાંખવાને તે આરંભ કર્યો. ટીંડાને આ વિચિત્ર ઉદા ન જઈ ટીંટડીએ તેને કહ્યું કે –“હે સ્વામિન ! આ વિલક્ષણ વૃત્તિ નિરર્થક છે. દર્ભના અગ્રભાગમાં કિંચિત જલ આવે છે, અને તે જલ તે સહજમાં સૂકાઈ જવાથી બહાર જ્યાં તે જલને મે નાંખવા ઈચ્છે છે ત્યાં તે કાંઈ પણ પડતું નથી. આ અપાર જે સમુદ્ર આવા પ્રયત્નથી શોષાવો અશક્ય છે, માટે તમે આ અયોગ્ય પ્રયત્ન છેડી શાંત થાઓ. પ્રારબ્ધાધીન જે કાંઈ થવાનું હતું તે થયું. ટીટાડે કહ્યું કે –“આગળ હું તને મારી સહધર્મચારિણી ગણત હતો, પણ હમણાં તું આવાં વચને બોલે છે જેથી હું તને મારા અનુરૂપ માનું છું, શત્રુને વિનાવિચારે હણ જો એ એવી લૌકિક નીતિ છે, પણ તું અબલા છે તેથી તેને મારતો નથી. તું હવે અહીંથી શીઘ દૂર જતી રહે. હું તો મારા પૂર્વે કરેલા સંકલ્પાનુસાર