SearchBrowseAboutContactDonate
Page Preview
Page 291
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૮ શ્રી ગૌસ્તુભ [તેરમી - " ધારણદિના અભ્યાસકાલે કાનમાં કર્ણમુદ્રા નાંખવી, કે જેથી બિહારના શબ્દો સાંભળી મન વિક્ષેપ ન પામે. જાયફળ, કેશર તથા એલચીની ઝીણી ભૂકી કરી, તેમાં થોડું સુગંધવાળું તેલ મેળવી, તેને રેશમી લુગડાના કડકામાં કાનના છિદ્રમાં સારી રીતે રહી શકે એવી રીતે શંકુઆકારે બાંધી તેને દઢ સીવી પર મીણ લગાડવું આ કર્ણમુદ્રા કહેવાય છે. - ધારણાને અભ્યાસ એકાગ્રચિત્તવાળાથી થઈ શકે છે. વિક્ષિપ્ત (ભટકતા ) ચિત્તવાળાને ધારણાની સિદ્ધિ દુરસાદર છે. શ્રીમેક્ષધર્મમાં “ણુ નીચેના શ્લોકથી એમજ દર્શાવ્યું છે – “ सुस्थेयं क्षुरधारासु निशितासु महीपते । ' ઘાબાપુ તુ થોડા દુધેશમતા મમઃ અર્થ –હે યુધિષ્ઠિર ! અત્યંત તીણ સુરની (અસ્ત્રાની) ધારા૫ર સ્થિર થવું સુગમ છે, પરંતુ વિક્ષિ ચિત્તવાળા પુરુષોને પર્વોક્ત ગધારણામાં સ્થિર થવું બહુ કઠિન છે. - પ્રમાદને ત્યાગ કરી જે વિધિપૂર્વક ધા શું કરવામાં આવે તજ તે સિદ્ધ થાય છે, અન્યથા તે સિદ્ધ થતી નથી. તે વિષે શ્રીમોક્ષધર્મમાં નીચેના કે જોવામાં આવે છે: " विपन्ना धारणास्तात नयंति न शुभ गतिम् । . नेतृहीना यथा नावः पुरुषानणवे नृप ॥१॥ यस्तु तिष्ठति कौंतेय धारणासु र थाविधि । मरणं जन्म दुःखं च सुखं च स विमुंचति ॥ २॥" અર્થ –હે રાજન! જેવી રીતે સમુદ્રમાં કર્ણધાર (સુકાની)વિનાની નૌકા પુરુષોને પાર કરી શકતી નથી તેવી રીતે આ સંસારમાં પ્રમાદથી કરેલી ધારણા સાધકને શુભ ગતિને પમાડી શકતી નથી. હે કય! જે પુરુષ શાસ્ત્રોક્ત વિધિપૂર્વક અપ્રમત થઈને ધારણાનો અભ્યાસ કરે છે તે નિર્વિકલ્પસમાધિની પ્રાપ્તિદ્વારા જન્મમરણ તથા
SR No.006145
Book TitleYog Kaustubh
Original Sutra AuthorN/A
AuthorNathuram Sharma
PublisherAnandashram
Publication Year1949
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy