SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ ----- પ્રભા ] પ્રાણાયામનિરૂપણ ૨૧ ત્યારે તેને જમણા હાથના અંગૂઠા તથા તર્જનીવડે પકડી મેઢાવાટે તે નેતિ બહાર કાઢવી. [ અમુક પડખાની કાખલીમાં થોડી વાર ઢીંચણ દબાવી રાખવાથી તેની સામી બાજુના નાસિકાના છિદ્રમાંથી પવન વહેવા લાગશે. આરંભના અભ્યાસીને જે નાસાપુટમાંથી પવન જાઆવ કરતો હોય તેમાં નેતિ નાંખવી સરલ પડે છે, માટે ઉપરની ક્રિયા તેવાના ઉપ માટે દર્શાવી છે. અભ્યાસ સિદ્ધ થયે પવનની જાવ જેવાની અપેક્ષા રહેતી નથી. ] પશ્ચાત તેને પૈઈ શુદ્ધ કરવી. પછી તેને નાસિકાના બીજા છિદ્રમાં ઉપર કહેલી રીતે નાંખી ઉપરની રીતે મોઢાટે બહાર કાઢવી. આ સામાન્યનેતિનું વર્ણન થયું. ઘર્ષણનેતિમાં તંતુએ તે સામાન્યનેતિના જેટલાજ લેવા, પણ તેની મળે દોરે બાંધવ તથા વળ દીધા વિના અર્ધા ભાગ ન રહેવા દેવો. તેના બંને છેડા ઉંદરપુચ્છા કરી તેના સરખા ત્રણ વિભાગ કરી તેને સારી રીતે વળ દઈ દઢ મેળવી પછી તેના ઉપર મીણ ચઢાવવું પશ્ચાત સામાન્યનેતિની પેઠે તેને એક છેડે નાસાપુટમાં નાંખી તેને બીજે છેડે પૂર્વની રીતે મેઢાવાટે બહાર કાઢો. પછી ડાબે હાથે નાકની બહારને છેડે પકડી ને જમણે હાથે મેઢાવાટે બહાર કાઢેલા છેડાને પકડીને તે બંને હાથ હળવે હળવે હલાવી તે તિવડે નાકની અંતરના ભાગનું ઘર્ષણ કરવું. આ ઘર્ષણનેતિનું વર્ણન થયું. મલમલના બે પાતળા કાકા પલાળી સૂકવી તેને પણ ઘર્ષણતિરૂપે ઉપયોગ થઈ શકે છે. ઘર્ષણનેતિની પેઠે બંને છેડા ઉંદરપુચછા રાખી વચ્ચેને એક વૈતએટલે ભાગ વળ દીધાવિનાને રાખી બંને છેડાઓ ક્રમથી નાકનાં બંને છિદ્રોમાં નાંખી તે ક્રમથી મુખવાટે બહાર કાઢી તે બંને છેડાઓને દઢ મેળવી કિવા એક પાતળા દોરાથી સારી રીતે બાંધી પછી તે નેતિને એક ગમ ધીરેથી સેરવી તેના બાંધેલા બંને છેડાઓ નાકબહાર કાઢી છેડી પછી સાવધાનતાથી નાસિકાના એક છિદ્રવાટેથી તે નેતિ ધીરે ધીરે બહાર કાઢી લેવી. આ યુગલનેતિ કહેવાય છે. એ
SR No.006145
Book TitleYog Kaustubh
Original Sutra AuthorN/A
AuthorNathuram Sharma
PublisherAnandashram
Publication Year1949
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy