SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ મમ 1 પ્રાણાયામનિષા * -- + -- * - -- * . , * - - - - - - - - - - - - - - * % -- - -- પ્રભા ] પ્રાણાયામનિરૂપણ ૨૦૫ પૂરક ઊતાવળે કરાય તે અડચણ નહિ, પણ રેચક તે ધીમે ધીમેજ કરે, ઉતાવળે રેચક કરવાથી બસની હાનિ થાય છે. ' જ્યારે શરીરમાંની નાડીઓને સમૂહ મલરહિત થાય છે ત્યારે અભ્યાસીનું શરીર કૃશ થાય છે, અને તેના શરીરની કાંતિમાં વધારો થાય છે. કુંભકમાં પ્રાણને વધારે વાર સધી રાખતાં આવડે, તે નાડીની શુદ્ધિથી જઠરાગ્નિની પ્રદીપ્તિ, નાદની પ્રકટતા તથા. આરોગ્યને લાભ થાય છે. જે પુરુષમાં મેદ તથા શ્લેષ્મ અધિક હોય તેણે પ્રાણાયામના અભ્યાસની પહેલાં રોગનાં ષટ્કમ સિદ્ધ કરવાં જોઈએ. નેતિધૌતિ આદિ યોગનાં કર્મો હવે પછી કહેવામાં આવશે. વાત, પિત્ત ને કફ જેના શરીરમાં સમાન હેય અને મેદ ને શ્લેષ્મ અધિક ન હેય તેને તે કર્મ સિદ્ધ કરવાની આવશ્યક્તા રહેતી નથી. ' જ્યાં સુધી પ્રાણવાયુ શરીરમાં વિરોધ પામીને રહે ત્યાં સુધી અંતઃકરણ વ્યગ્ર થતું નથી અને જ્યાં સુધી દષ્ટિ ભ્રકુટીના મધ્યભાગમાં રહે ત્યાંસુધી તે યોગીને કાલનું ભય લાગતું નથી. જ્યારે નાડીને સમૂહ શુદ્ધ થાય છે અને કુંડલિની જાગ્રત. થાય છે ત્યારે વાયુ ઈડપિગલાની મધ્યમાં રહેલી જે સુષુષ્ણુનાડી તેના મુખનું ભેદન કરી તેમાં સુખપૂર્વક પ્રવેશ કરે છે. સુષુણ્ણાની અંદર જ્યારે વાયુ પ્રવેશ કરે છે ત્યારે મનની સ્થિરતા થાય છે, અર્થાત ધ્યેયાકારવૃત્તિનો પ્રવાહ ઉત્પન્ન થાય છે. એવી સ્થિતિને જ તુર્ભાવસ્થા કિવા મને”ની અવસ્થા કહે છે. જે કુંભકના અનુષ્ઠાનના પ્રકારને જાણે છે તે ઉન્મની અવસ્થાની સિદ્ધિને અર્થે સૂર્યભેદનાદિક જે નાનાપ્રકારના કુંભક છે તે કરે છે. જુદા જુદા પ્રકારના કુંભકના અભ્યાસથી અભ્યાસીને જુદી જુદી સિદ્ધિ પ્રાપ્ત થાય છે. કુંભક આઠ પ્રકારના છે, ૧ સૂર્યભેદન, ૨ ઉજાયી, ૩ સીત્કારી, ૪ શીતલી, ૫ ભસ્ત્રિકા, ૬ ભ્રામરી, ૭ મૂચ્છ ને ૮ પ્લાવિની.
SR No.006145
Book TitleYog Kaustubh
Original Sutra AuthorN/A
AuthorNathuram Sharma
PublisherAnandashram
Publication Year1949
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy