________________
૧૪
શ્રીગૌસ્તુભ
[ દશથી
ઢીંચણ ] પગને છાતીભણી પાછા વાળી લાવવાં, ને પછી બંને હાથથી તેને સારી રીતે પકડીને શયન કરવું છે. પણ પવનમુક્તાસન કહેવાય છે.
.
૬ ધીરાસન બંને પગ ગોઠણથી વાળીને તેના ફણા ગુદાની નીચે આડા રાખીને બેસવું તે ધીરાસન કહેવાય છે.
દક્ષિણપદધીરાસન તથા વામપાદધીરાસન એ ધીરાસનના અવાંતરભેદ છે.
જમણે પગ ગુદાની નીચે રાખી ડાબો પગ ઢીંચણથી વાળી તેની પાની ઢગરાને અડાડીને બેસવું તે દક્ષિણપાદધીરાસન છે, ને તેનાથી ઊલટી રીતે બેસવું તે વામપાદધીરાસન છે.
૭ વામશ્વાસગમનાસન જમણા પગનું ઢીંચણ જમણા હાથની કાખલીમાં રાખી તેભણી ભાર દઈ ડાબો પગ ઢીંચણથી વાળી તેની એડી ડાબા ઢગરાને અડાડી ગુદા અધર રાખી બેસવું તે વામશ્વાસગમનાસન કહેવાય છે.
આ આસને બેસવાથી ડાબી નાસિકામાંથી શ્વાસોચ્છાસનું આવવુંજવું થવા લાગે છે.
ડાબા પગને ઢીંચણ ડાબા હાથની કાખલીમાં રાખી ઉપર કહેલ છે તેથી ઊલટી રીતે ડાબીભણુ ભાર દઈને બેસવું તે દક્ષિણશ્વાસગમનાસન કહેવાય છે.
આ આસને બેસવાથી જમણી નાસિકામાંથી શ્વાસપ્રશ્વાસનું જવુંઆવવું થવા લાગે છે.