________________
-1
5
(૫) જીવનો પશ્ચાતાપ ઃ સજીવ અને નિર્જીવ બધા પદાર્થો મેં જાણ્યા અને જોયા પણ કેવળ મારું પોતાનું શુદ્ધ સ્વરૂપ કોઈ વખત મેં જાણ્યું કે જોયું નથી. (૬) આત્મસ્મરણની પ્રતિજ્ઞા : સુખમાં, દુઃખમાં, મહાન રોગમાં, ક્ષુધા આદિના ઉપદ્રવમાં અને દેવાદિકના ચાર પ્રકારના પ્રસંગમાં હું આત્માનું ચિંતન કરીશ. (૭) નિશ્ચય અને વ્યવહાર ઃ જેમ બે નેત્રો વિના વસ્તુનું અવલોકન બરાબર થતું
નથી તેમ આ બે નય વિના દ્રવ્યોનું અવલોકન બરાબર (યથાર્થ) થતું નથી. (૮) જડ ચેતનનો વિવેક : ચેતનાથી (આત્માથી) દેહ તથા કર્મનો અને તેનાથી ઉત્પન્ન થયેલી વિક્રિયાદિનો - ઉપાધિનો જે જ્ઞાનવડે ભેદ કરાય છે તેને ભેદજ્ઞાન કહે છે.
આત્માને દેહ તથા કર્મોથી જુદો અનુભવે છે તેઓને શુદ્ધ આત્મસ્વરૂપની પ્રાપ્તિ થાય છે.
(૯) મોહ ત્યાગ : મનુષ્યમાં જ્યાં સુધી મોહની પ્રબળતા અને દીર્ઘ સંસાર પરિભ્રમણ કરવાનું હોય છે ત્યાં સુધી શુદ્ધ આત્મામાં અત્યંત નિશ્ચળ રુચિ થતી નથી. મોહનો નાશ કરવા આત્માનું ધ્યાન કરો.
(૧૦) અહંકારનો ત્યાગ : અજ્ઞાની જીવો નિરંતર અહંકાર કરે છે. આ કારણે તેઓ પોતાના નિર્મળ શુદ્ધ આત્માને જોઈ શકતા નથી. આત્મજાગૃતિ ન હોય ત્યાં જ અભિમાન અને મમત્ત્વભાવ પ્રગટે છે.
(૧૧) આત્મ ઉપાસકોની દુર્લભતા ઃ મોહમાં ફસાયેલા સર્વે જીવો દરેક ક્ષણે ૫૨ વસ્તુનું ચિંતન કરે છે કોઈક જીવ ક્યારેક ચિદાત્માનું ચિંતન કરતો હશે. (૧૨) જ્ઞાનાદિ રત્નત્રય ઃ સમ્યગ્નાન, સમ્યગ્દર્શન, સમ્યપ્ચારિત્રની એકતા વિના મોક્ષમાર્ગ બનતો નથી. તે સીવાય ચિદ્રુપની પ્રપ્તિ થતી નથી. .
(૧૩) વિશુધ્ધિનાં સાધનો ઃ જે ઉપાય વડે આત્મામાંથી મલીનતા જલ્દી નાશ પામે તે ઉપાય મુમુક્ષુએ કરવા. આત્મામાં રાગદ્વેષની લાગણીઓ છે તેજ મલીનતા છે. તે જેટલે અંશે ઓછી થાય તેટલી વિશુદ્ધિ પ્રગટે.
(૧૪) આત્મલક્ષ : આત્મકલ્યાણના ઈચ્છુક મનુષ્ય – દરેક જાતના વ્યવહાર ઉપરથી દ્રષ્ટિ હટાવી પોતાનું ચિત્ત આત્મ તરફ વાળવું. દરેક ક્ષણે આત્માની સ્મૃતિ રહેવી જોઈએ.
(૧૫) પરદ્રવ્યના ચિંતનનો ત્યાગ ઃ ૫રદ્રવ્યનું ચિંતન કરવું તેજ કર્મબંધ થવાનું કારણ છે અને શુદ્ધ આત્મ દ્રવ્યનું ચિંતન કરવું તે કેવળ મોક્ષનું જ કારણ છે. (૧૬) જ્ઞાતા અને જ્ઞેય ઃ સ૨ાગતાથી પદાર્થનું જ્ઞાન ક૨વું તે દુઃખનું કારણ છે અને રાગ વિના શેયનું જ્ઞાન કરવું તે નિશ્ચયથી સુખનું કરાણ છે.
;
(૧૭) ઉપાદાન અને નિમિત્ત ઃ શુદ્ધાત્માના આશ્રયેજ મોક્ષ થાય છે. નિમિત્તના આશ્રયે નહિ.
'
5
૧૨