SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ [ રરર ] નથી ભૂતકાળમાં કેઇ આચાર્ય ભગવંતે આવી સમલિ આપી પણ નથી. તે આજ્ઞા પ્રધાન સિદ્ધાંતિક માર્ગમાં કોઈ પણ કાગ્રહને વશ થવું તેમાં તમારી શોભા નથી. -- માટે હજુ પણ તમે એકમત થઈ અને પરમ તારક આપ્ત આગમને સંમત થઈ શકો એવી એક શુભાભિલાષા. ( વિ. સં. ૨૦૨૨ આ. વ. ૫) * નોંધ - આ બધા લખાણ પરથી એ હકીકત સ્પષ્ટ છે કે, સ્વપ્નની ઉપજની જેમ ઉપધાનની માલની ઉપજ તથા બીજી પણ દેવદ્રવ્યની ઉપજ પ્રભુભક્તિ નિમિત્તે જે કાંઈ બોલી બોલાય તે દેવદ્રવ્યને ઉપયોગ જિનમંદિરનો જીર્ણોદ્ધાર આદિ પ્રભુની ભક્તિના કાર્યમાં વપરાય પણ પિતાની ફરજ તરીકે પ્રભુની પૂજાની સામગ્રી કેસર આદિમાં કે પૂજા કરવા રાખેલ પૂજારીને આપવામાં તે દેવદ્રવ્યને ઉપયોગ ન થાય તે ખાસ લક્ષ્યમાં રાખવું જરૂરી છે. શ્રાવક સંધનું કર્તવ્ય શ્રી જિનપૂજા છેઃ તે કર્તવ્યનું પાલન પિતાની પૂર્વ પુણ્યથી પ્રાપ્ત સુંદર સામગ્રીથી પ્રભુ પૂજા કરવાની છે. દેવદ્રવ્યની ઉપજમાંથી સામગ્રી લાવીને નહિ તેમજ બીજાની સામગ્રીથી પણ નહિ, જિનપૂજારૂપ શ્રાવકકર્તવ્ય તે લક્ષ્મીની મુચ્છ ઉતારીને વ્રતધર્મની આરાધના માટે છે, નહિ કે લક્ષમીની મમતાને પંપાળીને તેની ભરછ વધારવા માટે: આ પ્રસંગે પૂ. પાદ પરમશાસનપ્રભાવક વ્યાખ્યાનવાચસ્પતિ પરમગુરૂદેવ આચાર્ય મ૦ શ્રીમદ્ વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજશ્રીએ પાલીતાણાની શ્રી સિદ્ધક્ષેત્રની પુણ્ય પવિત્ર ભૂમિપર આને અંગે મહત્વની
SR No.006102
Book TitleSwapnadravya Devdravya J Che
Original Sutra AuthorN/A
AuthorKanakchandrasuri
PublisherVishvamangal Prakashan Mandir
Publication Year1978
Total Pages164
LanguageGujarati
ClassificationBook_Gujarati & Devdravya
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy