________________
પૂજા-મહાપૂજાતો મહિમા
–શાસ્ત્ર મૂલશુદ્ધિપ્રકરણ-ટીકા-૭૮ કર્તા - દેવચન્દ્રસૂરિજી (કલિકાલ સર્વજ્ઞશ્રી હેમચન્દ્રસૂરિજીના ગુરુજી) અથ ..............શક્તિર્વાનભવતિ
તતો યથા સમ્ભવમપિ પૂજાવિધીયમાના ગુણાય સમ્પદ્યતે।
♦ શક્તિ જો ન હોય તો જે રીતે શક્ય હોય તે રીતે પણ પૂજા કરાય તે લાભ કરનારી થાય છે.
શ્રી ચન્દ્રકેવલી રાસ કર્તા – જ્ઞાનવિમલસૂરિજી
અનુવાદક - સમ્પાદક : પંડિત કપૂરચંદ વારૈયા, વિ.સં. ૨૦૩૫ ખંડ ત્રીજો, ઢાલ-૨૨ મી
‘રાજમાન્ય ઈમ્ય થઈ પ્રાસાદે, સર્વ ઠામે ચિંતવે, તિહાં સુપેરે રાખે કિંહા વધારે મહાપૂજા રચના ઠવે.’
♦ કોઈક વખત દેવદ્રવ્યની વૃદ્ધિ વધારે થાય તો મહાપૂજાનની રચના કરે છે. પેજ - ૪૯૦/૪૯૧ (૯૩૬ પેજ પુસ્તક)
ખરે જ, જિનમંદિર વિના જિન પ્રવચનની વૃદ્ધિ નથી થતી; અને દ્રવ્ય વગર તે મંદિરની પ્રતિદિન સંભાળ કરી શકાતી નથી; તેમજ જીર્ણ, વિશીર્ણ થયેથી પુનરુદ્ધાર કરી શકાતો નથી, તથા તેના વડે શ્રાવકોથી કરાતાં પૂજા, મહોત્સવ વગેરેમાં જ્ઞાનદર્શન અને ચારિત્ર ગુણો દીપ્યમાન થાય છે; કારણ કે અજ્ઞાનીઓ પણ પ્રશંસા કરે છે કે, ‘અહો, આ લોકોની બુદ્ધિ તત્ત્વાનુસારી છે.” પરિણામે તેઓ ક્રમે કરીને, જ્ઞાન, દર્શન અને ચારિત્ર ગુણના લાભને મેળવનારા બને છે.
—શાસ્ત્ર ઃ- દર્શનશુદ્ધિ ટીકા