SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ જીવનશૈલી એટલે શ્રમમુક્ત અને ચિંતાયુક્ત જીવનશૈલી. આના પરિણામે આજે ત્રીસ વર્ષે ઍટેક પણ આવી શકે ન પાંત્રીસ વર્ષે સાંધા પણ ઘસાઈ શકે. કમરને ઘૂંટણ તો લગભગ ચાલીસી સુધીમાં જ ચસકવા માંડે છે. પ્રેશર અને ડાયાબિટીસની ગોળીઓ તો હવે પીપરમીંટની જેમ ખપે છે. વિજ્ઞાને શ્રમમુક્ત જીવનશૈલીનું જે મોહક પેકેટ આપ્યું છે તેના ઉપર કેટલાય રોગો ગિફ્ટમાં મળે છે. આજે જોગર્સ પાર્ક અને જોગર્સ ક્લબ ઊભાં થઈ રહ્યાં છે. મોર્નિંગમાં વોક પર જવું એ ફેશન થઈ પડી છે. તેમને પૂછો કે કેમ ચાલવા જાઓ છો? ત્યારે ફિલસૂફની અદાથી જવાબ મળે ‘OhYeh! જૂના લોકો પાસે કસરત હતી. નવા ભણેલાઓ પાસે કહેવત છે ! શ્રમજીવી માણસોને માંદગી કેમ ઓછી આવે છે? આ વિષય ઉપર કોઈ રિસર્ચ કરે, તેના પેપર તૈયાર થાય, તે પબ્લિશ થાય અને પછી લોકોમાં તેનો પ્રચાર થાય ત્યારે આજના આધુનિકોને જીવનમાં શ્રમનું મહત્ત્વ સમજાશે એમ લાગે છે. પહેલાં જીવનશૈલી જ એવી હતી કે જેમાં શ્રમ કુદરતી હતી. આજે રૂપિયા ખર્ચીને કૃત્રિમ શ્રમ ખરીદવા લોકો વહેલી પરોઢિયે નીકળી પડે છે, અથવા જિમમાં જાય છે. વિજ્ઞાને જીવનમાંથી શ્રમને હડસેલો માર્યો અને પછી જીવનને હાઈટેક સિક્વેટિક શ્રમ આપીને ટકાવવાનો પ્રયત્ન કર્યો છે. શ્રમ અને સ્વાથ્ય વચ્ચે કાર્યકારણ સંબંધ છે. આજે વ્યાપારી સંબંધ ઊભો થતો જાય છે. જીવનમાં સંયમનું મહત્ત્વ પખંડ પૃથ્વીના સ્વામી ભરત ચક્રવર્તી એટલે આંતર જાગ્રતિનું એક અવલ ઉદાહરણ. ચક્રવર્તીપણાના ભોગાતિરેકમાં પોતે સાવ તણાઈન જાય તે માટે પોતે એક ખાસ પ્રકારની ગોઠવણી કરેલી. તેઓ જ્યારે રાજ્યસભામાં પ્રવેશ કરતા ત્યારે એક ત્રિપદીનું --- – મનનો મેડિકલેઈમ ૭૨)
SR No.006097
Book TitleManno Mediclaim
Original Sutra AuthorN/A
AuthorUdayvallabhvijay
PublisherPragna Prabodh Parivar
Publication Year
Total Pages110
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy