________________
7 મુખ મલકે તો સુખ
છલકે
શ્રમણ ભગવાન મહાવીર પ્રભુએ ગણધરોને આપેલી ત્રિપદી એટલે જાણે સુવર્ણસિદ્ધિ રસ. આ સુવર્ણસિદ્ધિ રસે તો કમાલ કરી. તેણે અક્ષરોને આગમોનું સ્વરૂપ આપ્યું. સુવર્ણસિદ્ધિ રસ નવી ધાતુને પેદા ન કરે પણ ધાતુને પરિવર્તિત કરીને સુવર્ણનું સ્વરૂપ આપી દે છે.
વિશ્વસમસ્તને હસ્તરેખા માફક જોઈ રહેલા કરુણાસાગરના મુખે વહેતી વાગ્ધારામાં વહેતા વિચારોને અક્ષરાકાર આપીને ગણધ૨ ભગવંતોએ જગત અને જગત્પતિને જોડી આપતો એક શાબ્દિક સેતુ રચી આપ્યો છે. આગમસૂત્રોની મનોહ૨સૃષ્ટિનું એક મોહક નજરાણું છે શ્રીઆચારાંગ સૂત્ર. સૂત્રના પદે પદે છતો થતો વિચારવૈભવ જોતાં તેને વિચારાંગ પણ કહેવાનું મન થાય.
આચારાંગ સૂત્રમાં વિશ્વસ્થિતિને રજૂ કરતો એક રમણીય પદ પ્રયોગ જોવા મળે છે. અટ્ટે ભોળુ આ સૂત્રનો સ્કેચ તૈયા૨ ક૨વો હોય તો સમસ્ત વિશ્વને ભડકામાં લપેટાયેલું રજૂ ક૨વું પડે. નવા મિલેનિયમમાં પ્રવેશી ચૂકેલા વિશ્વની કૅમિસ્ટ્રી ખરેખરદયનીય છે. દુઃખની આગ છે, તો સુખની પણ એક આગ છે.
કોઈને શ૨ી૨માં સાતા નથી તેનું દુઃખ છે. કોઈને ઘરમાં માતા નથી તેનું દુઃખ છે. કોઈને સમાજમાં સ્થાન નથી તેનું દુ:ખ છે. કોઈને બજારમાં નામ નથી તેનું દુ:ખ છે. કોઈને ઘરની તકલીફ, કોઈને ઘરવાળાની તકલીફ તો કોઈને ઘરખર્ચની તકલીફ. કોઈને ત્યાં દીકરો નથી, કોઈને ત્યાં દીકરો છે પણ તે વિનયી નથી. કોઈને દીકરો સારો છે પણ વહુ બરાબર નથી. કોઈને બંને પક્ષે સારું છે પણ ઘ૨માં પૌત્ર નથી. બહોળો પરિવા૨ હોવા છતાં આર્થિક નાદુરસ્તીની પીડા કોઈના મનને
-0-0-0-0 મનનો મેડિકલેઈમ ૧
-0-0-0