SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ શેરબજારની સિસ્મોલોજી મારવામાં આવી તેનો પાછળવાળાને કોઈ અંદાજ આવ્યો નહોતો. (૩) આમ તો બે મોટાં વાહનો વચ્ચેની સ્પર્ધામાં જ સાયકલવાળાનો મરો થઈ ગયો હતો. પેડલ માર્યા વગર પૂરપાટ પ્રગતિ સાધવાની ઇચ્છાવાળા તમામે આ રિપોર્ટમાંથી ઘણું શીખવા જેવું છે. આપણે ત્યાં “પરસેવાનો પૈસો” કહેવાતો. શ્રમપૂર્વક કમાણી થવાથી આરોગ્ય તો જળવાય જ છે, સાથે આવેલ પૈસાનું મૂલ્ય અને શ્રમનું ગૌરવ પણ સમજાય છે. શેરબજાર બે મોટા નુકસાન કરે છે ? (૧) અર્થવાસનાને ભડકાવી દે છે. (૨) શ્રમ માહાભ્યને ભુલાવી દે છે. - આ બજારમાં આકર્ષિત થવામાં “ભળતી કમાણી” અને બેઠી કમાણીનું તત્ત્વ કામ કરી જાય છે. આ રીતે કમાવા ટેવાયેલા ઘણાની કેફિયત છે કે “હવે અમને બીજું કાંઈ ન ફાવે.” તેમાં મહત્ત્વનું કારણ એ છે કે આવી વ્યક્તિ શ્રમથી ટેવાતી નથી અને ઓછાથી ધરાતી નથી. ધર્મશાસ્ત્રો તો ત્યાગ પ્રધાન હોવાથી આધ્યાત્મિક દૃષ્ટિએ તો પૈસાનો પ્રેમ મૂળે જ ખરો નથી ગણાયો, પરંતુ જે રીતે પરસેવો પાડ્યા વગર ટંકશાળ પાડવાની મહેચ્છા લોકોમાં વધી રહી છે તે હકીકત વ્યવહારિક અને સામાજિક દૃષ્ટિએ પણ વિચારણીય બાબત ગણાવી જોઈએ. -- - ૪૩ ---
SR No.006090
Book TitleShare Bazarni Sismology
Original Sutra AuthorN/A
AuthorUdayvallabhvijay
PublisherPragna Prabodh Parivar
Publication Year2013
Total Pages78
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy