SearchBrowseAboutContactDonate
Page Preview
Page 937
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ગૌતમસ્વામીનો વિલાપ ૭૦૧ ANJANAવનમા પ્રશ્ન ૩૧. હે કરુણાસાગર ભગવંત ! જીવ ક્યા કર્મને લીધે કુબડો થાય છે ? જવાબ: હે ગૌતમ ! જે પુરુષ લોભ વડે ગાય-બળદ, પાડા, ગધેડાં તથા ઉંટ ઉપર ઘણો ભાર ભરીને તેમને પીડા કરે છે, તે પાપકર્મના ઉદયથી તે જીવ કુબડો-ખુંધો થાય છે. પ્રશ્ન ૩૨. હે કૃપાસાગર ભગવન્! ક્યા કર્મ વડે જીવને દાસત્વ પ્રાપ્ત થાય છે. જીવ દાસ-નૌકર થાય છે ? જવાબ : હે ગૌતમ ! જે પુરુષ જાતિના મદથી ઉન્મત્ત મનવાળો આત્મા તે પુરુષ નીચ ગોત્ર કર્મ બાંધીને મરી દાસપણાને પામે છે, વળી જે મનુષ્ય પશુ-પક્ષી વગેરે પ્રાણીઓને વેચે-ક્રયવિક્રય-વેપાર કરે છે અને કૃતઘ્ની હોય-કોઈએ કરેલા ઉપકારને ગણતો નથી તે જીવ મરીને દાસપણું પામે છે. પ્રશ્ન ૩૩. હું ત્રણે જગતના આધાર પ્રભુ ! ક્યા કર્મને લીધે જીવ દરિદ્ર થાય છે ? જવાબ: હે ગૌતમ ! જે પુરુષ વિનયરહિત હોય, ચારિત્રરહિત હોય, ધર્મ-નિયમરહિત હોય, દાન, ગુણ વિનાનો હોય, ત્રણ દડે સહિત હોય એટલે કે મન વડે આર્તધ્યાન તથા રૌદ્રધ્યાન કરતો હોય, વચન વડે દુષ્ટ શબ્દ બોલતો હોય, કાયા વડે કુચેષ્ટાઓ કરતો હોય અને લોકોને કુબુદ્ધિ આપતો હોય તે પુરુષ મરીને દરિદ્રી થાય છે. પ્રશ્ન ૩૪. હે દયાસાગર ભગવંત! ક્યા કર્મને લીધે જીવ ત્રાદ્ધિવાળો થાય છે ? જવાબ : જે પુરુષ દાન આપનારો, વિનયવાન, ચારિત્રના સેંકડો ગુણોવાળો હોય, તે પુરુષ જગતની અંદર પ્રસિદ્ધ થઈને લોકોમાં મોટી અદ્ધિવાળો થાય છે. દરેક દ્રવ્ય સ્વતંત્ર છે, કોઈ કોઈનું કાંઈ કરી શકતું નથી.
SR No.006087
Book TitleRatnatrayi Upasna
Original Sutra AuthorN/A
AuthorKakaldas Hirachand Ajbani Parivar
PublisherKakaldas Hirachand Ajbani Parivar
Publication Year2006
Total Pages1214
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy