SearchBrowseAboutContactDonate
Page Preview
Page 785
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી રત્નાકર પચ્ચીસી = પ૪૯ હે ભવાબ્ધિમાતા ! અત્યંત દુષ્કર એવાં ત્રણ રત્નો મને મળી ગયાં. પરંતુ ત્રણ ગારવાના પ્રમાદથી પુષ્ટ બનેલા મેં એ ગુમાવી દીધાં રાંડ્યા પછીના ડહાપણ' જેવી મારી સ્થિતિ છે. મળ્યા ત્યારે ઘોર ઉપેક્ષા કરી અને ગયા પછી પોક મૂકીને રડવા બેઠો પ્રભુ! મારો આ અવાજ હવે કોણ સાંભળશે ! હે પ્રભુ! દુઃખથી પ્રાપ્ત કરી શકાય તેવાં (જ્ઞાન, દર્શન, ચારિત્ર રૂપી) ત્રણ રત્નો બહુ ભવોમાં ભ્રમણ ક્યાં પછી આપની પાસેથી મેળવ્યાં; પરંતુ તે પણ પ્રમાદ અને નિદ્રાના વશવર્તીપણામાં હું ગુમાવી બેઠો. હવે હું કોની પાસે જઈને પોકાર કરું ? વૈરાગ્ય, ધર્મ વિદ્યાદિનો દુરુપયોગ ગવા વિભુ આ વિશ્વને વૈરાગ્યના રંગો ધર્યા, ને ધર્મના ઉપદેશ રંજન લોકને કરવા કર્યા; વિદ્યા ભણ્યો હું વાદ માટે કેટલી કથની કહું? - સાધુ થઈને બહારથી દાંભિક અંદરથી રહું. પલા હે જ્ઞાનગર્ભિતવૈરાગ્યધારક નાથ મારી કાળી કથની હવે કેટલી કહું ? લોકોને ચૂસવા વૈરાગ્યના રંગો લોકોને આકર્ષિત કરવા ધર્મનો ઉપદેશ અને, બીજાને ખરાબ ચિતરવા વિદ્યાનો અભ્યાસ આ બધું જ મારામાં અસ્થિમજ્જાવત્ થયું હોવાને કારણે ફક્ત વેષ સજ્જનનો છે અને અંદર તો દુર્જનને ય શરખાવે એવા દંભે પોતાનું હે કર્મા તને નિશ્ચય આજ્ઞા કરૂં છું કે, નીતિ અને નેકી ઉપર મને પગ મુકાવીશ નહીં.
SR No.006087
Book TitleRatnatrayi Upasna
Original Sutra AuthorN/A
AuthorKakaldas Hirachand Ajbani Parivar
PublisherKakaldas Hirachand Ajbani Parivar
Publication Year2006
Total Pages1214
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy