SearchBrowseAboutContactDonate
Page Preview
Page 783
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી રત્નાકર પચ્ચીસી ૧૦ - ૫૪૭ પ૪૭ સત્કર્મને અભાવે ભવોની નિષ્ફળતા મેં પરભવે કે આ ભવે પણ હિત કાંઈ કર્યું નહિ, તેથી કરી સંસારમાં સુખ અલ્પ પણ પામ્યો નહિ; જન્મો અમારા જિનજી! ભવ પૂર્ણ કરવાને થયા, આવેલ બાજી હાથમાં અજ્ઞાનથી હારી ગયા. દા ગોટલો જ ન વાવ્યો હોય તો મીઠો-મધુરો રસદાર આંબો મળે જ શી રીતે ? ' સુખ = મીઠો-મધુરો રસદાર આંબો. પરહિતકરણ = ગોટલો. હે. અક્ષયસુખના સ્વામી ! મેં આ ભવમાં કે પૂર્વભવમાં ક્યારેય બીજાનું હિત કર્યું જ નથી લાગતું તેથી આ જન્મમાં વર્તમાનકાળમાં સુખની આશા પણ શી રીતે રખાય ! ખરેખર, મને મળેલ આ મનુષ્યભવ કંઈપણ સાધના કર્યા વિના પૂર્ણ થવા આવ્યો. ચિંતામણિરત્ન હાથમાં આવ્યું પણ ઓલા અજ્ઞાની ભરવાડની જેમ મેં પણ એ ધર્મરત્નને કાગડો ઉડાડવા માટે (વિષયો માટે) ફેંકી દીધું. - મારા જેવો બીજો મૂર્ખ કોણ હોય ! - હે ત્રણ જગતના નાથ ! આ ભવમાં અથવા પરભવમાં મેં કોઈનું પણ હિત કરેલ ન હોવાથી લેશમાત્ર પણ સુખ મને મળ્યું નથી. હે પ્રભુ! અમારા જેવાનો અવતાર તો જાણે ભવ પૂરો કરવા માટે જ થયો હોય તેમ લાગે છે. -+ = + + + + + + + + ક = હાર 1 :1 વ* -:- ૪૪ : : : - - આટલા કાળ સુધી જે કર્યું તે બધાંથી નિવૃત્ત થાઓ, એ કરતાં હવે તો અટકો.
SR No.006087
Book TitleRatnatrayi Upasna
Original Sutra AuthorN/A
AuthorKakaldas Hirachand Ajbani Parivar
PublisherKakaldas Hirachand Ajbani Parivar
Publication Year2006
Total Pages1214
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy