________________
॥૪૨॥
Dr J ૪૦ ૧૩ - ર મ ન
TOP. 5
મિ
મ
તા
મ
ર
જ
નેમિભક્તામરના રચયિતાનો પરિચય
આ નેમિભક્તામર કાવ્યના રચયિતા પ.પૂ. આ. ભાવપ્રભસૂરિજી મહારાજ સાહેબ “પૌર્ણમીય” ગચ્છના આચાર્ય મહિમાપ્રભસૂરિજીના શિષ્ય હતા. તેઓશ્રીએ વિ.સં. ૧૭૯૧માં જૈનધર્મવરસ્તોત્રની સ્વોપશ વૃત્તિ ઉપરાંત અનેક કૃતિઓની રચનાઓ કરેલ છે.
આ કાવ્ય પ.પૂ. આ. માનતુંગસૂરિજી મહારાજ દ્વારા વિરચિત ભક્તામરસ્તોત્રની પ્રત્યેક ગાથાના ચતુર્થ ચરણની પાદપૂર્તિ રૂપ છે. તેમાં નેમિનાથ પરમાત્મા અને રાજીમતીના અધિકારનું વર્ણન કરેલ છે. વિશેષમાં આ કાવ્ય ઉપર તેઓશ્રીએ સ્વોપન્નવૃત્તિ પણ રચેલ છે.
પૂર્વપુરુષ દ્વારા રચાયેલ પરંતુ વર્ષોથી ચતુર્વિધસંધ દ્વારા અણસ્પર્શેલ રહેવાથી અંધકારમાં રહેલી આ કૃતિ ભાવાર્થ કરીને તેને પ્રકાશમાં લાવવાના આ અલ્પપ્રયાસનો સ્વીકાર કરી સૌ વાચકગણ ગિરનાર અને નેમિપ્રભુની ભક્તિ કરવા દ્વારા વિષય-કષાયને ગાળી શીઘ્રતયા આત્મકલ્યાણ સાધે એ જ મંગલકામના.
ના
॥૪૨॥