________________
વિરાઢતપાગચ્છીયા શ્રમણસંમેલનની સમાંતર સંમેલન RD:
સચ્ચાઈની ભીતરમાં,
પરમતારક પરમાત્મા શ્રી મહાવીર પ્રભુનાં આ સકલજીવહિતકર શાસનની ગરિમા વધુ દીપ્તિમંત બનાવવા કાજે અને શાસનના વિવિધ અંગોને એકવાક્યતાસભર ઉચિત માર્ગદર્શન મળે તે માટે, સાંપ્રતકાલીન પ્રભુશાસનના સૌથી વિરાટ તપાગચ્છના વિવિધ સમુદાયોના ઘણા શ્રમણભગવંતો ચિંતનશીલ હતા. છેલ્લાં વર્ષોમાં મુંબઈ-અમદાવાદસુરત આદિ સ્થળે ચાતુર્માસ દરમ્યાન, સ્થાનિક સ્તરે મુનિમિલનો થતા હતા અને તેમાં બૃહત્ શ્રમણસંમેલન યોજવાની અભિલાષા પૂ. આચાર્યાદિ ભગવંતો દ્વારા વ્યક્ત થતી
હતી.
આ અભિલાષાઓની ફલશ્રુતિરૂપે વિ.સં.૨૦૭૧ ના અષાઢ માસમાં પ્રવરસમિતિ દ્વારા શ્રી સિદ્ધગિરિરાજની છાયામાં પાલિતાણાનગરે તપાગચ્છીય શ્રમણસંમેલન યોજવાનો નિર્ણય કરાયો. તેની આગોતરા આમત્રણ સમી પ્રાથમિક જાણ તપાગચ્છના દરેક સમુદાયને કરાઈ અને દરેક સમુદાયની સંમતિ પણ આવી. ધ્યાનમાં રહે કે પ્રવરસમિતિએ કોઈ સમુદાયને બાકાત રાખવાનું નહિ, બલ્ક સર્વ સમુદાયોનો સમાવેશ કરવાનું ઉદાર વલણ દાખવ્યું હતું. તે વિના દરેક સમુદાયને આમત્રણ પાઠવાયું ન હોત. શ્રમણસંમેલન યોજવાનું જાહેર થયા બાદ, પર્યુષણ પૂર્વે અને પછી મુંબઈઅમદાવાદ-સુરત આદિ સ્થળે ચાતુર્માસસ્થિત ગુરુભગવંતોની નિશ્રામાં તે તે શહેરોના અગ્રણી શ્રાવકો આદિની સભાઓ થઈ. જેમાં દરેક સમુદાય તરફથી શ્રાવકોની હાજરી હતી. તેઓએ પણ પોતાને મૂંઝવતા પ્રશ્નો પ્રવરસમિતિને પાઠવ્યા.
ઉલ્લાસભર્યા આ માહોલમાં, સંમેલનના નિયમો પ્રાથમિક એજન્ડા-સમિતિરચનાદિ કાર્યો શરૂ થયાં હવે સંમેલન માટે જરૂરી નીતિનિયમોની રચના અવસર પ્રાપ્ત જણાતાં તે માટે આસો શુદિ એકમે પ્રવરસમિતિ તરફથી શ્રમણસંમેલન સંબંધી નીતિ-નિયમો દર્શાવતો પરિપત્ર દરેક સમુદાયોને પાઠવાયો. આ પરિપત્ર એક સમુદાય માટે
વિરાટ તપાગચ્છીય શ્રમણસંમેલન...