________________
-1 ઠરાવ નં.૧૪ -
લુપ્ત કલ્યાણકભૂમિઓ-તીર્થો માટે સંશોધનકાર્ય કરાવવું. તે તથા પ્રત્યક્ષ કલ્યાણક ભૂમિઓ-પ્રાચીન તીર્થો આપણા ધર્મની ધરોહર છે. કલ્યાણક ભૂમિઓ-પ્રાચીન તીર્થો જ્યારે અતિ જીર્ણ થયા હોય અને જીર્ણોદ્ધાર અનિવર્ય હોય ત્યારે, ત્યાંની પ્રાચીનતા તથા જૂના લેખ આદિ ઐતિહાસિક કડીઓ સચવાય તે માટે, ત્યાંની વ્યવસ્થાપક સમિતિ સાથે સંપર્ક કરીને પ્રવરસમિતિનિયુક્ત શ્રાવકસમિતિ તે તે જીર્ણોદ્ધારકાર્યમાં સક્રિય રહેશે. -૧ ઠરાવ નં.૧૫ -
હવે પછી તે તે સમુદાયના પૂ. ગચ્છાધિપતિશ્રીની આજ્ઞા-આશીર્વાદ વિના કોઈએ પણ કોઈને આચાર્યાદિ પદપ્રદાન કરવા નહિ. આમ છતાં જો તેવી રીતે પદપ્રદાન કોઈ કરે તો પદારૂઢ થનારની પદવી અમાન્ય ગણાશે, પદ લેનાર-આપનાર સાથે સમસ્ત શ્રમણસંઘ એક વર્ષ માટે સર્વ વ્યવહારો સ્થગિત કરી દેશે અને તે ઉપરાંત શ્રમણસંઘની કોઈ પણ સમિતિમાં તે સમય દરમ્યાન તેઓ કોઈ કાર્ય કરી શકશે નહિ.
*। ઠરાવ નં.૧૬ I
કેટલાક શહેરોના મૂળ વિસ્તારોમાંથી અને કેટલાક ગામોમાંથી જૈન વસતિનું સ્થાનાંતર થઈ રહ્યું છે. તેના કારણે આપણા જિનાલયાદિ ધર્મસ્થાનો સામે જોખમ વધતું જાય છે. માટે (૧) ત્યાં સસ્તા દરે સાધર્મિક આવાસયોજનાની પ્રેરણા કરવી. (૨) શાસનપ્રેમી શક્તિસંપન્ન જૈનો દ્વારા ધર્મસ્થાનો આસપાસની જગ્યાઓ ખરીદ કરાવવી. (૩) તે શક્ય ન હોય તો સંઘોએ પોતાના દ્રવ્યમાંથી જિનાલયસુરક્ષા માટે જગ્યાઓ ખરીદ કરાવવી. આ માટે જો દેવદ્રવ્યનો ઉપયોગ થયો હોય તો તે ખરીદેલ સ્થાન દેવદ્રવ્યની મિલકત ગણવી... જિનાલયોમાં માત્ર જરૂર પૂરતી પ્રતિમાઓ રાખીને બાકીની પ્રતિમાઓ જરૂરિયાતવાળા સંઘોને અથવા અંતિમ વિકલ્પરૂપે પૂર્વોક્ત મૂર્તિભંડારમાં આપવી. ત્યાં આવતી નવી વસતિને ધર્મસ્થાનો પ્રત્યે આદર પ્રગટે તે માટે તેની સાથે શક્ય હદે સુમેળભર્યા સંબંધો રાખવા. આવા આવા અન્યાન્ય ઉપાયો પણ તે તે સ્થાનોની સુરક્ષા માટે જરૂરિયાત મુજબ કરવા.
-ધ ઠરાવ નં.૧૭ ]
આપણાં પાંચ મુખ્ય તીર્થો પૈકીના એક આબૂતીર્થમાં જૈન યાત્રિકોનો પ્રવાહ વધે તે માટે ખાસ લક્ષ્ય જરૂરી છે. પૂર્વે અહીં આદીશ્વર પ્રભુના ઉપદેશથી ભરતચક્રવર્તી દ્વારા સુવર્ણમય ચૈત્ય નિર્મિત થયેલું હોવાના અને અહીં સ્વયં ભગવાન મહાવીરદેવે
વિરાટ તપાગચ્છીય શ્રમણસંમેલન...
૧૬