________________
ધર્મદ્રવ્ય વ્યવસ્થાનું સાદ્યંત લખાણ (અનેક આચાર્ય ભગવંતોના સહયોગથી) જેઓ તૈયાર કરી રહ્યા છે તે ભક્તિયોગાચાર્ય પૂ.આ.ભ.શ્રી વિ. યશોવિજયસૂરીશ્વરજી મ.સા.
* જેઓશ્રીએ અંતિમ વિષયસૂચિ(ફાયનલ એજન્ડા) તૈયાર કરવામાં સહયોગ આપ્યો તથા સંમેલનમાં મંજૂર થયેલ ઠરાવોને લેખિત આકાર આપવામાં જેમનું મહત્ત્વપૂર્ણ યોગદાન રહ્યું છે તે વિર્ય પૂ.આ.ભ.શ્રી વિ. શીલચન્દ્રસૂરીશ્વરજી મ.સા.
શ્રમણસંમેલન સંબંધી સર્વ કાર્યોમાં સર્વ સમુદાયો સાથે જેમણે સંકલન કર્યું અને તમામ વ્યવસ્થાઓ માટે જેઓએ માર્ગદર્શન આપ્યું અને સફળતા માટે અથાગ પરિશ્રમ લીધો તે કાર્યવાહક સમિતિના પૂછ્યો.
(૧) પૂ.પ્રવચનપ્રભાવક આ.ભ.શ્રી વિ. રત્નસુંદરસૂરીશ્વરજી મ.સા.
(૨) પૂ.શાસનપ્રભાવક આ.ભ.શ્રી વિ. રાજહંસસૂરીશ્વરજી મ.સા.
(૩) પૂ.શાસનપ્રભાવક આ.ભ.શ્રી હર્ષસાગરસૂરીશ્વરજી મ.સા. (૪) પૂ.કાર્યકુશલ આ.ભ.શ્રી વિ. કુલચંદ્રસૂરીશ્વરજી (K.C.) મ.સા. (૫) પૂ.કાર્યકુશલ પં.શ્રી મોક્ષરત્નવિજયજી ગણિ..
જેઓશ્રીએ અંતિમ વિચારણાસૂચિ (ફાયનલ એજન્ડા) તૈયાર કરવામાં સહયોગ આપ્યો, પ્રત્યેક ચર્ચાના અંતે ઠરાવોનું મૌખિક સ્વરૂપ રજૂ કર્યું, તમામ ઠરાવો લખીને તૈયાર કર્યા અને આ પુસ્તિકાનું સાદ્યંત આલેખન કર્યું તે પૂ.સિદ્ધહસ્તસર્જક આ.ભ.શ્રી વિ. રાજરત્નસૂરીશ્વરજી મ.સા.
જેઓશ્રીએ જાહેર માધ્યમોમાં સંમેલનની મહત્તાનો પ્રસાર કર્યો તે
(૧) પૂ.શાસનપ્રભાવક આ.ભ.શ્રી વિ. યશોવર્મસૂરીશ્વરજી મ.સા.
(૨) પૂ.તેજસ્વીવક્તા આ.ભ.શ્રી વિ. રાજરત્નસૂરીશ્વરજી મ.સા. તથા
(૩) પૂ.શાસનપ્રભાવક આ.ભ.શ્રી હર્ષસાગરસૂરીશ્વરજી મ.સા.
દૂર-સુદૂરથી દીર્ઘ વિહારો કરીને પધારવા ઉપરાંત તમામ ઠરાવોને સૌહાર્દસભર ચર્ચાના અંતે સર્વસંમતિથી સ્વીકારનાર ૧૮ સમુદાયોના સેંકડો ગુરુભગવંતો તથા ઉદ્ઘોષણા મહાસભામાં ઉપસ્થિત લગભગ ૨૭૦૦ પૂ. સાધુ-સાધ્વીભગવંતો..
ઉપરોક્ત સર્વ ગુરુભગવંતોને હાર્દિક વન્દના કરવા સાથે અમે તેમનો તથા શ્રમણ સંમેલન માટે પારણા ભવનમાં સર્વ સુવિધા કરી આપનાર શેઠ આણંદજી કલ્યાણજી પેઢી, વૈયાવચ્ચની ઉત્તમ વ્યવસ્થા કરનાર શ્રી વર્ધમાન સિદ્ધક્ષેત્ર આયંબિલ ખાતુ તથા વિશિષ્ટ સેવા પ્રદાન કરનાર ભારતભરના વિવિધ મંડળોનો હાર્દિક ઋણસ્વીકાર કરીએ છીએ.
લિ. શ્રી અખિલ ભારતીય તપાગચ્છીય શ્રમણોપાસક જૈન સંઘ... ...વિરાટ તપાગચ્છીય શ્રમણસંમેલન ૧૧