SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ તુરતજ મને ખબર આપવા. એ પ્રમાણે ઘણા દિવસો સુધી તે પ્રધાન એ સંત-સન્યાસીઓને રાજાની ચિંતાનો ઉપાય પુછવા લાગ્યા, પણ કાંઈ નિકાલ આવ્યો નહિ. એવામાં એક વખત સુઘોષા નામના પ્રભાવિક આચાર્ય મુનિરાજ વિહાર કરતા કરતા એ પૈઠણપુર નગરમાં આવી પહોંચ્યા, ત્યારે માણસોએ પ્રધાનને ખબર આપી, કે તરત જ પ્રધાન ત્યાં ગયો, અને મહારાજના ચરણોમાં નમસ્કાર કરી તેમને હકીકતથી વાકેફ કર્યા. - મુનિરાજ તો શાંત ચિત્તે સાંભળી રહ્યા અને કહ્યું, “ભાઈ ! પુત્ર થવો ન થવો એ તો કર્માધિન છે, પરંતુ કાલે તમો રાજાને તેડીને અહીં આવજો.” પ્રધાનને કાંઈક આશા બંધાણી અને બીજે દિવસે રાજા પ્રધાન તથા મિત્ર મંડળ સહિત સુઘોષાચાર્ય પાસે ગયા. ' વિશાળ કપાળ, તેજસ્વી કાન્તિ અને ચારિત્રનો પ્રભાવ જોઈને રાજાના હૃદયમાં તો મુનિરાજ પ્રત્યે ખૂબ શ્રદ્ધા બેઠી. સુઘોષાચાર્યે પણ રાજાને મનની શાંતિ રાખવા માટે સુંદર બોધ આપ્યો. કે “હે રાજન્ ! કોઈ પણ વસ્તુમલવીયાન મળવી એ પોતાના કર્માનુસાર છે. તો તમારે પણ કર્મભોગવવાં પડે તે સ્વાભાવિક છે. પણ ધર્મ અને પ્રભુ સ્મરણ જો એકચિત્તથી થાય તો અશુભ કર્મનો નાશ થઈ કદાચ તમારી મનોકામના પૂર્ણ થાય.” ત્યારે રાજાએ કહ્યું કે હે મુનિરાજ! પત્થર એટલા દેવ માન્યા, પણ મને ક્યાંયથી સંતોષ થયો નથી.” ત્યારે મહાત્માએ લાભનું કારણ જાણી ભક્તામર સ્તોત્રનો ઉપદેશ કર્યો અને કોવિસ્મયોડત્ર એ શ્લોકનો વિધિપૂર્વક જાપ બતાવ્યો. વર્તમાન મુનિઓએ સંતાન પ્રાપ્તિ માટે મેલા કે સાત્વિક કોઈ
SR No.006078
Book TitleBhaktamar Stotra Sarth
Original Sutra AuthorN/A
AuthorSubodhvijay
PublisherMahesh Sundarlal Kapadia
Publication Year1997
Total Pages276
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy